દેશની આશરે ૯ લાખ રજિસ્ટર્ડ કંપનીઓ તેમનું વાર્ષિક રિટર્ન ફાઈલ કરતી નથી. રેવન્યૂ સેક્રેટરી હસમુખ અઢિયાએ આ કંપનીઓ કાણા નાણાંની હેરફેરમાં સામેલ હોવાની આશંકા જતાવી છે.
આવી કંપનીઓ સામે તપાસ શરૂ કરવામાં આવી છે અને જા કોઈ ગેરરીતિ બહાર આવશે તો તેની સામે તુરંત કાર્યવાહી પણ કરવામાં આવશે.તેમણે એન્ફોર્સમેન્ટ દિવસના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં બોલતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા બનાવવામાં આવેલી ટાસ્કફોર્સ દર ૧૫ દિવસે આ કંપનીઓના હિસાબોની તપાસ કરી રહી છે. દેશમાં ૧૫ લાખ રજિસ્ટર્ડ કંપનીઓ છે. આ કંપનીઓમાંથી આઠથી નવ લાખ કંપનીઓ એવી છે કે જે, કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીને વાર્ષિક રિટર્ન પણ ફાઈલ કરતી નથી.રજિસ્ટર્ડ કંપનીઓમાંથી માત્ર છ લાખ કંપનીઓએ જ તેમના રિટર્ન ફાઈલ કર્યા છે જેમાંથી ૩ લાખ કંપનીઓએ ઝીરો ઈન્કમ દેખાડી છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે આમાની કેટલીક કંપનીઓને નોટિસ મોકલી છે.