સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્માવતિને લઇને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ ફિલ્મ મહારાણી પદ્માવતિની લાઇફ પર આધારિત છે. માનવામાં આવે છે કે વર્ષ ૧૩૦૨માં મહારાણઁી પદ્મિનીએ જોહર કરીને આત્મહત્યા કરી હતી. એ વખતે અલાઉદ્દીન ખિલજી ચિત્તોડ પર હુમલો કરવા માટે પહોંચ્યો હતો. આ ફિલ્મમાં દીપિકા પદ્માવતિના રોલમાં નજરે પડનાર છે. રણવીર સિંહ ફિલ્મમાં અલાઉદ્દીનના રોલમાં નજરે પડનાર છે. શાહિદ કપુર મહારાજા રતનસિંહના રોલમાં નજરે પડનાર છે. તે પદ્માવતિના રોલમાં નજરે પડનાર છે. અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે દીપિકા ફિલ્મ માટે ભારે મહેનત કરી રહી છે. તે તૈયારીમાં ખલેલ અનુભવ કરી રહી છે. દીપિકાનુ કહેવુ છે કે સંજય લીલાની ફિલ્મમાં હમેંશા વધારે મહેનત કરવી પડે છે. ફિલ્મમાં જોહરના સીનને લઇને દીપિકાને ખુબ મહેનત કરવી પડે છે. દીપિકા પહેલા પણ પોતાની કેરિયરમાં ક્લિનિકલ ડિપ્રેશનનો ઉલ્લેખ કરી ચુકી છે. શાહિદ કપુર પ્રથમ વખત ફિલ્મમાં સંજય લીલાની સાથે કામ કરી રહ્યો છે. દીપિકા અને રણવીર સંજય લીલાના ફેવરીટ બની ગયા છે. બન્ને અગાઉ સંજય લીલા સાથે કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુક્યા છઠે. જેમાં છેલ્લે બાજીરાવ ફિલ્મમાં પણ નજરે પડ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. હવે નવી ફિલ્મમાં નજરે પડનાર છે. જો કે આ ફિલ્મમાં બન્નેના કોઇ સાથે સીન નથી. કોઇ સપનામાં પણ ગીતો નથી. આ ફિલ્મને લઇને પહેલા પણ હોબાળો મચી ચુક્યો છે. રણવીર ફિલ્મમાં નેગેટીવ રોલમાં નજરે પડનાર છે. શાહિદને ખુબ લાંબા સમય બાદ એક મોટી ફિલ્મ હાથ લાગી છે. ફિલ્મને લઇને ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે.
પાછલી પોસ્ટ