નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ હવે જમ્મુ કાશ્મીર ટેરર ફંડિંગ કેસના સંદર્ભમાં પુછપરછ માટે કાશ્મીર યુનિવર્સિટીના પીએચડી વિદ્યાર્થી આલા ફાઝિલ અને હુર્રિયતના બે નેતાઓ અબ્દુલ હમીદ અને વાલી મોહમ્મદ સામે સમન્સ જારી કર્યા છે. નવેસરથી સમન્સ જારી કરવામાં આવ્યા બાદ કાશ્મીર ટ્રેડર્સ બોડીએ હડતાળની હાકલ કરી છે. કાશ્મીર ટ્રેડર્સ એન્ડ માર્કેટિંગ ફેડરેશનના વડા યાસીન ખાન સામે પણ સમન્સ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બે હુર્રિયત નેતા અબ્દુલ હમીદ અને વાલી મોહમ્મદ સામે પણ સમન્સ જારી કરવામાં આવ્યા છે. કાશ્મીર બાર એસોસિએશનના પ્રમુખ મિયાંકયુમ સામે પણ સમન્સ જારી કરવામાં આવી ચુક્યા છે. એનઆઈએ દ્વારા ૩૦મી મેના દિવસે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અલગતાવાદીઓ અને કટ્ટરપંથીઓ સામે સકંજો મજબૂત કરવામાં આવી રહ્યો છે.
પાછલી પોસ્ટ