જમ્મુ કાશ્મીરમાં પોતાના અંતને જોઇ રહેલા ત્રાસવાદીઓ હવે હચમચી ઉઠ્યા છે અને ત્રાસવાદીઓ સ્થાનિક લોકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. આ કડીમાં કાશ્મીરના સ્થાનિક નાગરિકની ત્રાસવાદીઓ દ્વારા હવે ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. ઝડપાયેલા કાશ્મીરી યુવાનની ઓળખ કરી લેવામાં આવી છે. રિયાઝ નાયકુ ગેંગના સભ્યોએ અપહરણ કરીને તેની ઘાતકી હત્યા કરી દીધી હતી. મળેલી માહિતી મુજબ રિયાઝે કથિતરીતે કાશ્મીરમાં લશ્કરના ત્રણ ટોપ કમાન્ડરોને ઠાર કરી દેવામાં સુરક્ષા સંસ્થાઓની મદદ કરી હતી. કાશ્મીરી યુવક રિયાઝ તરીકે ઓળખાઈ જતાં તેના સંદર્ભમાં વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. રિયાઝ કાશ્મીરના અનંતનાગના બિજબેહડાનો નિવાસી છે. દક્ષિણ કાશ્મીર હેઠળ આવનાર અનંતનાગ જિલ્લામાં બિજબેહડા વિસ્તારના નિવાસી ઇસ્તીયાક અહેમદને ૭મી ઓગસ્ટના દિવસે ત્રાસવાદીઓએ અપહરણ કરી લીધું હતું ત્યારબાદ તેને સોપિયન વિસ્તારમાં લઇ જવાયો હતો.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ