Aapnu Gujarat
બિઝનેસ

FPIનો ડેબ્ટ માર્કેટમાં આત્મવિશ્વાસ અકબંધ

વિદેશી મૂડીરોકાણકારો દ્વારા આ વર્ષે હજુ સુધીમાં ૨૦ અબજ ડોલરનું કુલ મૂડીરોકાણ કરી દેવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનામાં ડેબ્ટ માર્કેટમાં જંગી રોકાણ કરવામાં આવ્યું છે. સતત સાતમા મહિનામાં વિદેશી રોકાણકારોએ રોકાણ કર્યું છે. ઓગસ્ટ મહિનામાં વિદેશી મૂડીરોકાણકારોએ સ્ટોકમાર્કેટમાંથી બે અબજ ડોલર પાછા ખેંચી લીધા છે જ્યારે તેઓએ ડેબ્ટ માર્કેટમાં ૨.૪૦ અબજ ડોલરનું જંગી રોકાણ કર્યું છે. ઓગસ્ટ મહિનામાં જંગી રોકાણનો પ્રવાહ જારી રહેતા ફેબ્રુઆરીથી જુલાઈ ૨૦૧૭ના ગાળા દરમિયાન રેકોર્ડ ઉછાળો નોંધાયો છે. નવેસરના આંકડા મુજબ એફપીઆઈ દ્વારા ઇક્વિટી માર્કેટમાં ૪૮૬૨૮.૪૦ કરોડની રકમ ઠાલવી દેવામાં આવી છે. જ્યારે તેઓએ ડેબ્ટ માર્કેટમાં આ ગાળા દરમિયાન ૧૨૯૫૧૦.૬૭ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ કુલ રોકાણનો આંકડો ૧૭૮૧૩૯.૦૭ કરોડ સુધી પહોંચ્યો છે. માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે, ભારતીય અર્થતંત્રના પરિબળો મજબૂત દેખાઈ રહ્યા છે જેના પરિણામ સ્વરુપે વિદેશી રોકાણકારો ભારતીય બજારને લઇને આશાવાદી છે. ખાસ કરીને ડેબ્ટ માર્કેટમાં વિદેશી રોકાણકારો દ્વારા જંગી રોકાણ કરવામાં આવી રહ્યું છે. ફેબ્રુઆીરીથી જુલાઇ ૨૦૧૭ વચ્ચેના છેલ્લા છ મહિનામાં નેટ ઇનફ્લોનો આંકડો ૧.૧૬ લાખ કરોડ સુધી રહ્યો છે. તે પહલા ૨૩૦૦ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી. બીજી ઓગષ્ટના દિવસે આરબીઆઇ દ્વારા રેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. વિદેશી રોકાણકારોએ ભારતીય મુડીબજારમાં જંગી નાણાં ઠાલવી દેવાની પ્રક્રિયા જારી રાખી છે. માર્ચમાં વિદેશી રોકાણકારો દ્વારા કેમિપલ માર્કેટમાં ૫૬૨૬૧ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદ હવે શુ સ્થિતી સર્જાઇ જશે તેની નોંધ ટુંક સમયમાં જ લેવામાં આવનાર છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા એફપીઆઇના ધારાધોરણ સરળ બનાવી દેવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા સત્તામાં ગાળા દરમિયાન વિકાસ અને આર્થિક પ્રવૃતિ ઝડપી બનતા વિદેશી રોકાણકારો ભારે ખુશ દેખાઇ રહ્યા છે. થોડાક સમય પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત સહિત કેટલાક પરિબળના કારણે તેજી રહી છે. છેલ્લા ચાર મહિના (ફેબ્રુઆરી-મે)માં ૧.૩૩ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ આ રકમ ઠાલવી દેવામાં આવી છે. માર્કેટ નિષ્ણાતો માની રહ્યા છે કે, જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદ હવે વધારે રોકાણ આવશે.મૂડીરોકાણકારો માની રહ્યા છે કે, જીએસટી અમલી બની ગયા બાદ ભારતમાં રોકાણની ગતિ વધી જશે. ફેબ્રુઆરી-એપ્રિલના ગાળા દરમિયાન નેટ ઈનફ્લોનો આંકડો ૯૪૯૦૦ કરોડ રૂપિયા રહ્યો હતો. આ પહેલા આવા રોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં ૩૪૯૬ કરોડ રૂપિયા ડેબ્ટ માર્કટમાંથી પાછા ખેંચી લીધા હતા. ઓક્ટોબર અને જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા અભૂતપૂર્વ રકમ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ ફરી એકવાર નોંધપાત્ર પ્રવાહ જોવા મળી રહ્યો હતો. ફેબ્રુઆરીમાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૧૫૮૬૨ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. આ પહેલા એફપીઆઈ દ્વારા ઓક્ટોબર ૨૦૧૬ અને જાન્યુઆરી ૨૦૧૭ વચ્ચેના ગાળામાં ૮૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

मैगी के एक बार फिर नमूने फेल : नेस्ले और डिस्ट्रिब्यूटर्स पर ६२ लाख का जुर्माना

aapnugujarat

ब्याज दरों में कटौती कर सकता है रिजर्व बैंकः एक्सपर्टस

aapnugujarat

સેબી અને યુરોપિયન સીક્યોરિટીઝ એન્ડ માર્કેટ્‌સ ઓથોરિટી વચ્ચે થયેલા એમઓયુને મંજૂરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1