Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બ્રિક્સ મિટિંગમાં પાકિસ્તાનનાં ત્રાસવાદ પર ચર્ચા નહીં : ચીન

ચીને ફરી એકવાર ખુલાસો કરતા કહ્યુ છે કે પાકિસ્તાન પ્રાયોજિત ત્રાસવાદના મુદ્દા પર ભારતની ચિંતા અંગે આગામી સપ્તાહમાં યોજાનાર બ્રિક્સ સંમેલનમાં ચર્ચા કરવામાં આવનાર નથી. આવુ નિવેદન કરીને પાકિસ્તાનને બચાવી લેવાના ચીને પ્રયાસો જારી રાખ્યા છે. પહેલાની જેમ આ વખતે પણ પાકિસ્તાન જેવા તેના નજીકના મિત્રોને બચાવી લેવાની નિતી ચીને અપનાવી છે. ચીને પોતાના નજીકના મિત્ર પાકિસ્તાનનો બચાવ કરીને કહ્યુ છે કે ત્રાસવાદને રોકવા અને તેને ખતમ કરવા માટે પાકિસ્તાન દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવકતા હુઆ ચુનયિંગે કહ્યુ છે કે પાકિસ્તાન ત્રાસવાદ સામે લડી રહ્યુ છે. ત્રાસવાદ સામેની લડાઇમાં બલિદાન આપી રહ્યુ છે.
હુઆએ પત્રકાર પરિષદમાં કહ્યુ હતુ કે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરવી જોઇએ. તેમણે કહ્યુ હતુ કે અમે જોઇ રહ્યા છીએ કે જ્યારે પાકિસ્તાનના ત્રાસવાદ વિરોધી હોવાની વાત કરવામાં આવે છે ત્યારે ભારતની કેટલીક ચિંતા આવે છે. તેમણે કહ્યુ હતુ કે બ્રિક્સમાં આ મુદ્દા પર ચર્ચા થવી જોઇએ તેમ તેઓ માનતા નથી. બ્રિકસમાં પાંચ દેશો રહેલા છે. જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય ચટે. ત્રણ દિવસ બેઠક હવે શરૂ થઇ રહી છે.
તેમણે કહ્યુ હતુ કે ચીન ત્રાસવાદના મામલે અન્ય દેશો સાથે સહકાર કરી રહ્યુ છે. તમામ પક્ષોના હિતોની નોધ લેવામાં આવી રહી છે. આવી સ્થિતીમાં તેમની કામગીરીની અવગણના કરવામાં આવે તે યોગ્ય નથી. ત્રાસવાદ સામે ચીનનુ વલણ હમેંશા ખતરનાક રહ્યુ છે.

Related posts

Any use of force by US against Iran would lead to disaster : Putin

aapnugujarat

कारोबारी लक्ष्मी मित्तल के भाई प्रमोद को मिली जमानत

aapnugujarat

H1B वीजा धोखाधड़ी मामले में चार इंडो-अमरीकी गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1