અભિનેત્રી વાણી કપુરને પણ હવે ફિલ્મો હાથ લાગી રહી નથી. જો કે તે મોટા સ્ટાર સાથે કામ કરવાનુ સપનુ ધરાવે છે. વાણી બોલિવુડની ફિલ્મોને લઇને આશાવાદી બનેલી છે. તેને આઇટમ સોંગ કરવામાં પણ કોઇ વાંધો નથી. બોલિવુડની ફિલ્મોમાં ટકી રહેવા માટે તે વધારે સ્લીમ દેખાવવા માટે પ્રયાસ કરી રહી છે. આગામી દિવસોમાં મોટા અભિનેતાઓ સાથે કામ કરવાની તક મળી જશે તેવો આશાવાદ તે ધરાવે છે. બેફિક્રેમાં હાલમાં જ નજરે પડેલી અભિનેત્રીએ કહ્યું છે કે, તે ઇચ્છે છે કે અફવા સાચી પડે અને તે આગામી સમયમાં બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે કામ કરી શકે. એક કાર્યક્રમમાં વાણી કપૂરે આ મુજબની વાત કરી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વાણી કપૂરને લઇને એક ફિલ્મ શાહરુખ ખાન સાથે બનાવવાની હિલચાલ ચોપડા દ્વારા હાથ ધરવામાં આવી છે. પોતાની આગામી ફિલ્મો અંગે પૂછવામાં આવતા ૨૮ વર્ષીય અભિનેત્રી વાણી કપૂરે કહ્યું હતું કે, કોઇપણ યોજના હજુ તૈયાર થઈ નથી. પટકથામાં હાલ તે અભ્યાસ કરી રહી છે. તેની પાસે કેટલીક ફિલ્મોની ઓફર આવી છે. બેફિક્રે ફિલ્મને મળેલા પ્રતિસાદ અંગે વાત કરતા વાણીએ કહ્યું હતું કે તે માને છે કે, બેફિક્રે ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કેટલાક લોકોએ આ ફિલ્મને પસંદ કરી હતી.ે જ્યારે કેટલાક લોકોએ ફિલ્મને પસંદ કરી નથી. ફિલ્મમાં પોતાના જુદા રોલ અંગે પુછવામાં આવતા વાણીએ કહ્યું હતું કે, પટકથા ઉપર તમામ બાબતો આધારિત રહે છે. બીજા પ્રશ્નના જવાબમાં વાણી કપૂરે સફળતાપૂર્વક આપ્યા હતા. રણવીરસિંહ સાથેની પોતાની ફિલ્મના સંબંધમાં વાણીને વધુ પ્રશ્નો કરાયા હતા.