Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારત અજેય છે, તેને કોઈ હરાવી શકે નહીં : ગૃહમંત્રી

બીએસએફના ૬૦માં સ્થાપના દિવસ પર રવિવારે આયોજીત સમારંભમાં સામેલ થવા માટે જોધપુર આવેલા દેશના ગૃહમંત્રી અમિત શાહે જવાનોના જુસ્સાને દાદ આપી હતી. તેમણે અહીં કહ્યું કે, ભારત અજેય છે અને તેને કોઈ હરાવી શકે નહીં. જ્યારે આખો દેશ સુઈ રહ્યો હોય છે, ત્યારે તમે ડ્યૂટી કરતા હોવ છો. શાહે કહ્યું કે, સપ્ટેમ્બર ૧૯૬૫થી લઈને આજ સુધી સતત દેશની પૂર્વી અને પશ્ચિમી સરહદને સુરક્ષા આપવાનો તમે જે રેકોર્ડ બનાવ્યો છે, તેના માટે બીએસએફના અધિકારીઓથી લઈને જવાનો તમામ અભિનંદનને પાત્ર છે.
શાહે સમારંભને સંબોધન કરતા કહ્યું કે, મને ખબર છે કે, આપની ડ્યૂટી અઘરી છે. જવાનો પોતાનો સ્વર્ણકાળ ૪૫ ડિગ્રી સુધી પરિસ્થિતિઓમાં ડ્યૂટી કરતા વિતાવે છે. ૧૪૦ કરોડ દેશવાસીઓની સુરક્ષાનો જે વિશ્વાસ પેદા કર્યો છે, તેનો શ્રેય બીએસએફને જાય છે. દેશની રક્ષા માટે સીમા પ્રહરીઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે. શાહે કહ્યું કે, ૧૯૯૨ શહીદ જવાન જેણે આ દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે, હું તેમને સેલ્યૂટ કરવા અહીં આવ્યો છું. સીમા સુરક્ષા દળ સૌથી વધારે પદક જીતવાનું છે.
તેમણે કહ્યું કે, પોતાના જવાનોની બહાદુરી, સમર્પણ અને બહાદુરીના કારણે મ્જીહ્લ દેશની સુરક્ષાના ઈતિહાસમાં ઘણા સુવર્ણ પૃષ્ઠો પર પોતાનો ગૌરવપૂર્ણ અધિકાર મેળવવામાં સફળ રહી છે. જનતા તમારા પરિવારના સભ્યોની ઋણી રહેશે. હું તમારો પણ ઋણી રહીશ અને સમગ્ર રાષ્ટ્ર વતી હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું. આપણે બધાએ વિશ્વના સૌથી મોટા સીમા સુરક્ષા દળના સ્થાપના દિવસે ભવ્ય પરેડ જોઈ છે. તમારી ચપળતા વખાણવા લાયક છે. આ ઉપરાંત શાહે મ્જીહ્લ દ્વારા કરવામાં આવતી અન્ય કામગીરીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે બીએસએફ એ વૃક્ષારોપણ અને મધમાખી ઉછેરમાં ઘણું સારું કામ કર્યું છે. ૨૦૪૫ સુધીમાં ભારત દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન તમારા વિના અધૂરું છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં ડ્રોનની સમસ્યા વધવાની છે. ડીઆરડીઓ અને સંરક્ષણ વિભાગના અન્ય તમામ વિભાગોએ મળીને એન્ટી ડ્રોન ગન વિકસાવી છે. તેના સકારાત્મક પરિણામો મળ્યા છે. પોતાના સંબોધનમાં શાહે મ્જીહ્લ જવાનોને આપવામાં આવતી સુવિધાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ હાજર હતા.

Related posts

मध्यप्रदेश में वकीलों को तीन महीने तक काले कोट से मुक्ति

aapnugujarat

કેનેડાની નાગરિકતા હાંસલ કરનારાની સંખ્યા વધી

aapnugujarat

સુરક્ષા વચ્ચે પ્રજાસત્તાક દિનની આવતીકાલે ઉજવણી

aapnugujarat
UA-96247877-1