દિલ્હીના નરેલામાં એક ૨૨ વર્ષીય યુવક અને એક ૧૨ વર્ષની છોકરીએ સોમવારે સાંજે એક આત્મહત્યાના કરાર હેઠળ ચાલુ ટ્રેનની સામે છલાંગ લગાવી દીધી. યુવકને ખાતરી હતી કે તે ક્ષણોમાં જ મૃત્યુ પામશે. પરંતુ, જ્યારે તે થોડાક કલાકો પછી હોસ્પિટલમાં ભાનમાં આવ્યો ત્યારે તેને ખબર પડી કે તે પોતાના બંને પગ ગુમાવી ચૂક્યો છે. તેને પોતાના નિર્ણય અંગે પારાવાર પસ્તાવો થયો. સગીરાને મલ્ટિપલ ફ્રેક્ચર્સ થયા છે.
હવે પરિસ્થિતિ એવી છે કે આ યુવકે તેના બંને પગ જ તો ખોયા જ છે, પરંતુ તે સાથે એવી પણ શક્યતા છે કે બળાત્કાર અને અપહરણના ગુના માટે તેની ધરપકડ કરવામાં આવે.તેના પોતાના શબ્દોમાં કહીએ તો, તે છેલ્લા બે વર્ષથી ૧૨ વર્ષની એક સગીર છોકરીના પ્રેમમાં હતો. સગીરાએ મીડિયા ચેનલને જણાવ્યું કે યુવકે આત્મહત્યા કરવા માટે તેને આજીજી કરી હતી.ઇન્વેસ્ટિગેટરે જણાવ્યું,જો આ યુવકે જ તે સગીર છોકરીને આત્મહત્યામાં સાથ આપવા માટે મનાવી હોય, તો અમે લોકો અપહરણ માટે તેની ધરપકડ કરવાની સંભાવનાની તપાસ કરીશું.આ સાથે તેમણે જણાવ્યું કે એ બાબતની પણ તપાસ કરવામાં આવશે કે તે યુવકે સગીરાનું જાતીય શોષણ કર્યુ હતું કે નહીં. જો તે વાત સાબિત થશે તો બળાત્કાર માટે અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ ઍક્ટ હેઠળ પણ તેની ધરપકડ કરવામાં આવી શકે છે.સગીરા અને યુવક બંને ટ્રેન સામે કૂદ્યા તે પહેલાની ઘટનાઓને વર્ણવતી વખતે યુવકે દાવો કર્યો કે છોકરીએ એકસાથે તેમના જીવનનો અંત લાવવા માટે તેને મજબૂર કર્યો હતો.
પાછલી પોસ્ટ