Aapnu Gujarat
રાષ્ટ્રીય

બાલાસોર ટ્રેન દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૮૮ લોકોના મોત થયા છે. ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. રેલ્વે મંત્રી શનિવારે ઘટના સ્થળે પહોંચ્યા હતા. રાહત કાર્યની સમીક્ષા કરી હતી. અધિકારીઓ સાથે વાત કર્યા બાદ બચાવ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પીએમ મોદીએ પણ ઓડિશાની મુલાકાત લીધી હતી. તેઓ ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચ્યા. હવે આ દર્દનાક અકસ્માત કેસ પર સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. શુક્રવારે સાંજે બનેલી આ ઘટનાએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. આ દુર્ઘટના પર ઘણા દેશોના રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ગઈકાલે કડક સ્વરમાં કહ્યું હતું કે આ ઘટનાઓમાં દોષિતોને બક્ષવામાં નહીં આવે. આ ઘટના માટે જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. ઘટનાના કારણો પણ જાણવા મળ્યા છે. રેલ્વે મુસાફરોની સલામતી માટે કવચ પધ્ધતિનો તાત્કાલિક અમલ કરવા માટે સુપ્રિમ કોર્ટને સુચના જારી કરવા માગ કરવામાં આવી છે. અરજદારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે રેલ મુસાફરીને ૧૦૦% સુરક્ષિત બનાવવા કેન્દ્ર સરકારને યોગ્ય આદેશો આપે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ અરજી દાખલ કરી છે. તમને જણાવી દઈએ કે આ માર્ગ પર કવચ સિસ્ટમ સક્રિય નહોતી. જો આ સિસ્ટમ સક્રિય હોત તો અકસ્માત ટાળી શકાયો હોત. અત્યાર સુધી તે માત્ર કેટલાક રૂટ પર જ લગાવવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટની અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને તમામ રૂટ પર વહેલી તકે તેને ઠીક કરવા જણાવવું જોઈએ જેથી કરીને મુસાફરોના જીવને કોઈ ખતરો ન રહે. રેલવે મંત્રી હજુ પણ ઓડિશામાં છે. આજે તે ફરી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓ અહીં સતત નજર રાખી રહ્યા છે. એક દિવસ પહેલા તેમણે કહ્યું હતું કે આ રાજકારણનો સમય નથી. આપણે દરેક જીવને કોઈપણ રીતે બચાવવાનું છે. રેલવે મંત્રીએ કહ્યું હતું કે હું ક્યાંય જઈશ નહીં. હું અહીં જ રહીશ હકીકતમાં તેમના રાજીનામાની માગ કરવામાં આવી હતી. તેના પર તેમણે કહ્યું કે આ સમયે સૌથી જરૂરી છે કે આપણે બચાવ પર ધ્યાન આપીએ. તે શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ થવું જોઈએ. તેમણે કહ્યું હતું કે દરેક જીવન આપણા માટે કોઈપણ કિંમતે મહત્વપૂર્ણ છે. તેમને સાચવવું એ પ્રાથમિકતા છે. પીએમ મોદીએ સ્વાસ્થ્ય મંત્રીને સૂચના આપી છે કે તેઓ ઘાયલોની સારવારમાં કોઈ કમી ન આવવા દે.

Related posts

બીએસએફે અટારી સરહદે બે પાક. ઘુસણખોરોને ઠાર કર્યા

editor

૧૦૦ રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલના ભાવ ચુકવવા થઇ જાઓ તૈયાર

editor

સોપિયનમાં ત્રણ આતંકવાદી ઠાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1