રાજ્યમાં રખડતાં શ્વાનોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. રખડતાં કૂતરાઓ દ્વારા બાળકોને શિકાર બનાવવાના કિસ્સાઓમાં હવે વધારો થઈ રહ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો અમરેલીના દામનગર વિસ્તારમાંથી સામે આવ્યો છે. અમરેલીમાં દીપડા બાદ હવે રખડતાં કૂતરાઓનો આતંક સામે આવ્યો છે. દામનગરમાં એક ત્રણ વર્ષના બાળકને રખડતાં કૂતરાએ ફાડી ખાતા મોત નીપજ્યું હતું. દામનગરમાં આવેલી એક વાડીમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમજીવીના ત્રણ વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધુ હતુ. જે બાદ માસૂમ બાળકનું મોત નીપજ્યુ હતુ. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ ઘટના બાદ પરિવાર પર પણ આભ ફાટી તૂટી પડ્યું હતું.
બનાવની વિગતો એવી છે કે, અમરેલીના દમનગર વિસ્તારમાં આવેલી એક વાડીમાં પરપ્રાંતિય શ્રમજીવી કામ કરે છે. તેમને એક ત્રણ વર્ષનું બાળક છે. અહીં રસ્તા પર રખડતાં કૂતરાએ તેમના ત્રણ વર્ષના બાળકને ફાડી ખાતા મોત નીપજ્યું હતું. જે બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. પોતાના ત્રણ વર્ષના માસૂમ બાળકને કૂતરાએ ફાડી નાખતા પરિવાર પર પણ આભ ફાટી પડ્યું હતું. ત્યારે પરિવારમાં પણ રખડતાં કૂતરાઓને લઈને રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. ત્યારે વધુ એક કિસ્સો બનતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.