Aapnu Gujarat
રાષ્ટ્રીય

૨૦૦૦ની નોટ બદલવા માટે કોઈ આઈડી બતાવવાની જરૂર રહેશે નહીં

ભારતીય રિઝર્વ બેંકે ૨૦૦૦ રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈના નિર્ણય બાદ તમારે ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવા અથવા જમા કરાવવા બેંકમાં જવું પડશે. નોટ બદલવા માટે આરબીઆઈએ બેંકોને રોકડ જમા નિયમોનું પાલન કરવાનું કહ્યું છે. મંગળવાર ૨૩ મેથી બેંકો ૨૦૦૦ રૂપિયાની નોટો બદલવા અને જમા કરવાનું શરૂ કરશે. આ માટે બેંકોએ તૈયારીઓ કરી લીધી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ૨૦૧૬ની જેમ આ વખતે પણ બેંકોની બહાર નોટો બદલવા અથવા જમા કરવા માટે ભીડ એકઠી થશે નહીં. આરબીઆઈની માર્ગદર્શિકાને અનુસરીને બેંકો દ્વારા નોટો બદલવા સંબંધિત પરિપત્ર જારી કરવામાં આવી રહ્યો છે.
આરબીઆઈએ બેંકોને રૂ. ૨૦૦૦ની નોટ બદલવા માટે રોકડ જમા કરવાના નિયમનું પાલન કરવા જણાવ્યું છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ આરબીઆઈ દ્વારા આવું કોઈ ફોર્મ જારી કરવામાં આવ્યું નથી, જેને ભર્યા બાદ જ ૨૦૦૦ની નોટ બદલાશે. બેંકોને આરબીઆઈ તરફથી આવી કોઈ સૂચના મળી નથી, જેમાં લોકોએ નોટ બદલતા પહેલા કોઈપણ ફોર્મ અથવા કોઈપણ સ્લિપ ભરવાની અથવા તેમનું કોઈપણ ઓળખ કાર્ડ આપવું પડશે. એસબીઆઈએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચારો અંગે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે લોકોએ ૨૦૦૦ની ૧૦ એટલે કે, ૨૦૦૦૦ રૂપિયા સુધીની નોટો બદલવા માટે કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં.
આરબીઆઈએ આ અંગે કોઈ સૂચના જારી કરી નથી. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર ૨૦૦૦ની નોટ બદલવા માટે લોકોએ કોઈ ઓળખ પત્ર આપવાની જરૂર રહેશે નહીં. જો કે, આવા ફોર્મ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકોએ ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવા માટે આઈડી બતાવવી પડશે. બેંકોનું કહેવું છે કે ઘણા ઓછા લોકો છે જેમની પાસે બે હજાર રૂપિયાની નોટ છે. એટલા માટે તેમને આશા છે કે તેઓ સરળતાથી નોટો બદલી શકશે અને જમા કરાવી શકશે. જીમ્ૈંએ સર્ક્‌યુલર જારી કરીને કહ્યું છે કે તમારે ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવા માટે કોઈ આઈડી બતાવવાની જરૂર રહેશે નહીં. તમે બેંકમાં જઈને સરળતાથી નોટો જમા કરાવી શકશો.
નોટો બદલવા માટે તમે તમારી નજીકની બેંક શાખામાં પહોંચો. તમે ત્યાં જઈને સરળતાથી નોટ બદલી શકો છો. જો તમારું એ જ બેંકમાં ખાતું છે, તો તમે તમારા ખાતામાં પૈસા જમા કરાવી શકો છો. ૨૦ હજાર સુધી કોઈ સ્લિપ કે ફોર્મ ભરવાનું રહેશે નહીં. કોઈ આઈડી બતાવવાનું નથી. દ્ભરૂઝ્ર ધોરણોને અનુસરીને નોટો સરળતાથી બદલી શકાશે. ઇમ્ૈંએ એક દિવસમાં ૨૦૦૦ રૂપિયાની ૧૦ નોટ બદલવાની મંજૂરી આપી છે. જો કે, બેંક ખાતામાં જમા કરાવવાની કોઈ મર્યાદા નથી. તમારી પાસે ૨૩ મેથી ૩૦ સપ્ટેમ્બર સુધીનો સમય છે. એક દિવસમાં ૨૦૦૦૦ રૂપિયા બદલી શકાય છે. બેંક ખાતામાં જમા કરાવવાની કોઈ મર્યાદા નથી, પરંતુ બેંકિંગ નિયમોનું પાલન કરવું પડશે. તમે ૨૩ મેથી ૩૦ સપ્ટેમ્બર સુધી નોટો બદલી શકો છો. આ પછી પણ જો તમે નોટ બદલવામાં અસમર્થ છો એટલે કે ૩૦ સપ્ટેમ્બરની ડેડલાઈન ચૂકી જશો તો તમારે ઇમ્ૈં ઓફિસમાં જઈને નોટ બદલવી પડશે.

Related posts

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની હાર છે : PK

aapnugujarat

टेरर फंडिंग संदर्भ में कुख्यात सलाउद्दीन के पुत्र की गिरफ्तारी

aapnugujarat

गांवों में हर घर तक पाइप लाइन से पानी पहुंचाएगी मोदी सरकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1