Aapnu Gujarat
ગુજરાત

એસજી હાઈવે પર બનશે અમદાવાદનો સૌથી મોટો ફ્લાયઓવર

અમદાવાદ શહેરને એસજી હાઈવે પર ઈસ્કોન જંક્શનથી સાણંદ ચોકડી સુધીનો સૌથી મોટો એલિવેટેડ કોરિડોર મળશે, કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ સોમવારે ટ્વીટ દ્વારા આ વિશે જાહેરત કરી હતી. આ સાથે પ્રોજેક્ટ બનાવવા પાછળનો કુલ ખર્ચ 530.20 કરોડ રૂપિયા થશે તેમ પણ જણાવ્યું હતું. નેશનલ હાઈવે (એનએચ) 147 પરનો આ એલિવેટેડ કોરિડોર 4.5 કિમી લાંબો હશે, જે શહેરનો સૌથી લાંબો ફ્લાયઓવર હશે. તે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની વચ્ચે ટ્રાન્સપોર્ટેશન માટેની અડચણો દૂર કરશે તેમજ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ ટ્રાફિકની સમસ્યાને હળવી કરશે. ડિઝાઈન અને રૂટને અંતિમ સ્વરૂપ આપ્યા બાદ પ્રોજેક્ટ માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ થશે, તેમ રાજ્યના માર્ગ અને મકાન સચિવ સંદિપ વસાવાએ સ્થાનિક અખબાર અમદાવાદ મિરર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
ગાંધીનગરની પાસે સરખેજ અને ચિલોડા નજીક ડાયરેક્ટ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે 44 કિમી લાંબા એસજી હાઈવે પર પહેલાથી જ અંડરપાસ અને ફ્લાયઓવર છે. ઈસ્કોનથી સાણંદ ચોકડી સુધી બનવા જઈ રહેલો એલિવેટેડ કોરિડોર રાજસ્થાન તરફ જતાં ટ્રાફિકને પણ ઝડપી માર્ગ આપશે. નિતિન ગડકરીએ શેર કરેલી અન્ય ટ્વીટમાં જણાવ્યું હતું ગુજરાતના છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં હાલના NH-56 પરના બોડેલી તાલુકાના જબુગામથી નસવાડી તાલુકાના ધમાસિયા ગામ સુધી હાલના 2-લેન કેરેજવેથી 4-લેન કેરેજવે સુધી અપગ્રેડ કરવાના કામને હાઈબ્રિડ એન્યુટી મોડ (પેકેજ-II) હેઠળ 1188.48 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે તેમણે વસોવા ક્રીક પર 918 મીટર લાંબા કેન્ટિલીવર બ્રિજને ખુલ્લો મૂકવાની જાહેરાત કરી હતી, જેમાં ચાર લેનનો સમાવેશ થાય છે અને તે મુંબઈ-સુરત કોરિડોરને ટ્રાફિકમાં નોંધપાત્ર રાહત આપશે.

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે અને તેને હળવી કરવા માટે ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યા છે. વાડજ જંક્શનમાં પણ ફોર લેન ફ્લાયઓવર અને ટુ લેન અંડરપાસ બનશે, આ પ્રોજેક્ટ પાછળ 106.52 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ યોજનામાં વાડજ જંક્શનથી રાણીપ તરફ 735 મીટર ફ્લાયઓવર અને દધીચી બ્રિજની અખબારનગર તરફ 417 મીટરનો અંડરપાસ સામેલ છે. તેથી, વિસ્તારને 30 મહિના સુધી બંધ રાખવામાં આવશે. વાડજ વિસ્તારમાં ટ્રાફિક સૌથી વધારે રહે છે. દર મિનિટે સર્કલ પાસેથી આશરે 142થી 420 વાહનો પસાર થાય છે.

Related posts

વીએસમાં ન્યુ બોર્ન હિયરિંગ સ્ક્રીનિંગ સેન્ટર ખુલ્લું મુકાયું

aapnugujarat

વિજાપુર માર્કેટયાર્ડના વેપારીઓએ ખેડૂત બિલનો નોંધાવ્યો વિરોધ

editor

હાલોલ:- ગજાપૂરા પાસેની કેનાલમા બોડેલી વિસ્તારના પ્રેમીપંખીડાની લાશ મળી આવતા ચકચાર.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1