સરકાર ભલે વ્યાજખોરો અંગે ગમે તેવા દાવા કરે પરંતુ હકિકત કઈંક અલગ છે. ગુજરાતમાં હજુ પણ વ્યાજખોરોના ત્રાસ યથાવત છે. આણદમાં પાનની દુકાન ચલાવતા વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ટ્રેન નીચે પડતું મૂકતા ચકચાર મચી છે. રેલવે સ્ટેશન પાસે દુકાન ચલાવતા વેપારીની લાશ આણંદના ગોધરા રેલવે સ્ટેશન પરથી મળી હતી. તો બીજી તરફ પરિવારે ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કર્યો છે. ૫૭ વર્ષના મૃતક સિકંદરમિયા મલેક આણંદના પાધારીયા વિસ્તારની શબનમ સોસાયટીમાં રહેતા હતા. હાલમાં આણંદ રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.