હિના ખાન અને રોકી જયસ્વાલ ૧૨ વર્ષથી રિલેશનશિપ છે. બંનેની મુલાકાત યે રિશ્તા ક્યા કહેલાતા હૈના સેટ પર થઈ હતી. આ સીરિયલમાં એક્ટ્રેસે ’અક્ષરા’નું પાત્ર ભજવ્યું ગતું જ્યારે રોકી સુપરવાઈઝિંગ ડિરેક્ટર હતો. બંને હંમેશા ફેન્સને કપલ ગોલ્સ આપતાં આવ્યા છે. જો કે, થોડા દિવસ પહેલા હિનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિશ્વાસઘાતને લગતી પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું હતું ’વિશ્વાસઘાત એક માત્ર એવું સત્ય છે, જે હંમેશા તમારી સાથે રહે છે’. તેના પરથી કપલના સંબંધોમાં ખટાશ આવી હોવાનું અનુમાન ફેન્સે લગાવ્યું હતું. જો કે, આ અંગે હવે તેણે મૌન તોડ્યું છે અને પોસ્ટ પાછળની હકીકત જણાવી છે. હિના ખાને ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેની પોસ્ટને તેના રોકી જયસ્વાલ સાથેના રિલેશનશિપ સાથે કોઈ લેવાદેવા નથી. તેણે જે પોસ્ટ શેર કરી હતી તે પ્રમોશનનો ભાગ હતી. તેણે ઉમેર્યું હતું કે, બ્રેકઅપની ખબરો વહેતી જોઈને તેને અને રોકીને નવાઈ લાગી હતી. આટલું જ નહીં કેટલાક મિત્રોએ પણ ચિંતા વ્યક્ત કરતાં તેમને મેસેજ મોકલ્યા હતા. પોસ્ટ બાદ શું રોકીએ તને મેસેજ કર્યો હતો તેમ પૂછતાં હિના ખાને કહ્યું હતું કે, તે અલગ વ્યક્તિ છે અને આવી વાતોની પરવાહ કરતો નથી. જો તે, સારી ફ્રેન્ડ અને ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ મેસેજ મોકલ્યું હોવાની કબૂલાત કરી હતી, જેણે તેને પૂછ્યું હતું કે ’બધું બરાબર તો છે ને? શું થયું?. ત્યારબાદ તેણે તેને રિપ્લાયમાં ચિંતા ન કરવા જણાવ્યું હતું. જ્યારે તમે મેસેજ પર વાત કરો ત્યારે મિત્રો સમજી જાય છે કે તે પ્રમોશનલ માટેનું છે પરંતુ બાકીના લોકો ખરેખર જરી ગયા હતા. અમારું બ્રેકઅપ થયું હોવાના રિપોર્ટ્સ વહેતા કર્યા હતા. જો કે, તેવું કંઈ જ નથી. હું મારી લવ લાઈફથી ખુશ છું. ભગવાન દયાળુ છે. હું શું કરું, મને ખબર જ હતી કે આવું કંઈક થશે’, તેમ એક્ટ્રેસે ઉમેર્યું હતું. હિના ખાન અને રોકી જયસ્વાલે ૨૦૧૪માં ડેટિંગ શરૂ કર્યું હતું. તે સમયે બધાની સામે તેઓ માત્ર મિત્રો હોવાનું કહેતા હતા. ૨૦૧૬માં એક્ટ્રેસે ’યે રિશ્તા…’ છોડીને ’બિગ બોસ ૧૧’માં ભાગ લીધો હતો. તે વખતે રોકી તેને મળવા માટે ઘરમાં ગયો હતો અને તેને પ્રપોઝ કર્યા બાદ રિંગ પહેરાવીને સંબંધોને ઓફિશિયલ કર્યા હતા.
આગળની પોસ્ટ