Aapnu Gujarat
ગુજરાત

જામજોધપુરમાં આમ આદમી પાર્ટીએ બાજી મારી

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. ગુજરાતની એવી પણ અનેક બેઠકો છે જેમાં વર્ષોથી ભાજપની સત્તા હતી, પરંતુ આ વખતે કોંગ્રેસે તો નહીં પરંતુ આમ આદમી પાર્ટીએ ગઢ પર ગાબડું પાડ્યું છે. જણાવી દઈએ કે, જામજોધપુરમાં આમ આદમી પાર્ટીએ મોટી બાજી મારી છે. ત્યા છેલ્લા અઢી દાયકાથી ભાજપની સત્તા હતી, પરંતુ ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં છછઁના ઉમેદવાર હેમંત આહિરની જીત થઈ છે.
હેમંત આહિરને ૭૧૩૯૭ મત મળ્યા હતા. જ્યારે ભાજપની ઉમેદવાર ચીમનભાઈ સાપરીયાને ૬૦૯૯૪ મળ્યા હતા. જેની સાથે જ, કોંગ્રેસના ઉમેદાવાર કાલરીયા ચિરાગભાઈ રમેશભાઈને ૧૩૫૧૪ મત મળ્યા છે. ગુજરાત વિધાનસભામાં કુલ ૧૮૨ બેઠકો આવેલી છે. આ ૧૮૨ બેઠકમાં જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠક ૮૦માં ક્રમાંકે છે. જામજોધપુર વિધાનસભા મત વિસ્તાર જામનગર લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે. જામજોધપુર વિધાનસભા બેઠક પર વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ચિરાગભાઈ કાલરિયાએ ભાજપ ઉમેદવાર ચિમનભાઈ શાપરિયાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી.
તો વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ચિમનભાઈ શાપરિયાએ કોંગ્રેસ ઉમેદવાર હરદાસ આહિરને મ્હાત આપી હતી. વર્ષ ૨૦૧૭માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં જામજોધપુર વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ૪૭.૪૦ ટકાવારી નોંધાઈ હતી. જામજોધપુરમાં ભાજપના ચૂંટણી પ્રભારી તરીકે સુરેશભાઈ વસરાની નિમણુંક કરવામાં આવી છે.

Related posts

मुनाफे का कारोबार गीर गाय

editor

ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઇઝેશન દ્વારા ૨૭-૨૮મીએ નેચરોપથી અને યોગના સંદર્ભે રાષ્ટ્રીય સંમેલન

aapnugujarat

ગીરમાં વન વિભાગે ૫૦૦થી વધુ કૃત્રિમ વોટર પોઈન્ટસ તૈયાર કર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1