Aapnu Gujarat
બિઝનેસ

FPI દ્વારા માત્ર ૪ સેશનોમાં ડેબ્ટમાં ૫૦૦૦ કરોડ ઠાલવ્યા

વિદેશી મુડીરોકાણકારોએ છેલ્લા ચાર કારોબારી સેશનમાં દેશના ડેબ્ટ માર્કેટમાં ૫૦૦૦ કરોડથી વધુ રકમ ઠાલવી દીધી છે. જેથી એંકદરે માર્કેટની સ્થિતીમાં સુધારો થયો છે. જોકે બજારમાં પ્રવર્તમાન સ્થિતીને ધ્યાનમાં લઇને વિદેશી મુડીરોકાણકારો દ્વારા આ ગાળા દરમિયાન ઇક્વિટીમાંથી ૧૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. નવેસરના આંકડા મુજબ એફપીઆઇ દ્વારા પહેલીથી ચોથી ઓગષ્ટ વચ્ચેના ગાળામાં ડેબ્ટ માર્કેટમાં ૫૧૮૧ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે અથવા તો આ ગાળમાં ૮૧૧ મિલિયન ડોલરની રકમ ઠાલવી દેવામાં આવી છે. આની સાથે જ ફેબ્રુઆીરીથી જુલાઇ ૨૦૧૭ વચ્ચેના છેલ્લા છ મહિનામાં નેટ ઇનફ્લોનો આંકડો ૧.૧૬ લાખ કરોડ સુધી રહ્યો છે. તે પહલા ૨૩૦૦ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી. નવેસરના પ્રવાહની સાથે જ ડેબ્ટ માર્કેટમાં કુલ રોકાણનો આંકડો આ વર્ષે ૧.૨ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. ડેબ્ટમાં છેલ્લા થોડાક મહિનામાં રોકાણ જોરદાર રહેતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે. બીજી ઓગષ્ટના દિવસે આરબીઆઇ દ્વારા રેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. વિદેશી રોકાણકારોએ ભારતીય મુડીબજારમાં જંગી નાણાં ઠાલવી દેવાની પ્રક્રિયા જારી રાખી છે. માર્ચમાં વિદેશી રોકાણકારો દ્વારા કેમિપલ માર્કેટમાં ૫૬૨૬૧ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદ હવે શુ સ્થિતી સર્જાઇ જશે તેની નોંધ ટુંક સમયમાં જ લેવામાં આવનાર છે. માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા એફપીઆઇના ધારાધોરણ સરળ બનાવી દેવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા સત્તામાં ગાળા દરમિયાન વિકાસ અને આર્થિક પ્રવૃતિ ઝડપી બનતા વિદેશી રોકાણકારો ભારે ખુશ દેખાઇ રહ્યા છે. હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત સહિત કેટલાક પરિબળના કારણે તેજી રહી છે. છેલ્લા ચાર મહિના (ફેબ્રુઆરી-મે)માં ૧.૩૩ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ આ રકમ ઠાલવી દેવામાં આવી છે. માર્કેટ નિષ્ણાતો માની રહ્યા છે કે, જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદ હવે વધારે રોકાણ આવશે.મૂડીરોકાણકારો માની રહ્યા છે કે, જીએસટી અમલી બની ગયા બાદ ભારતમાં રોકાણની ગતિ વધી જશે. બીજી બાજુ ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ભાજપની જીત સહિત કેટલાક હકારાત્મક પરીબળો વચ્ચે ફેબ્રુઆરી-એપ્રિલના ગાળા દરમિયાન નેટ ઈનફ્લોનો આંકડો ૯૪૯૦૦ કરોડ રૂપિયા રહ્યો હતો. આ પહેલા આવા રોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં ૩૪૯૬ કરોડ રૂપિયા ડેબ્ટ માર્કટમાંથી પાછા ખેંચી લીધા હતા. ઉત્તરપ્રદેશ ચૂંટણી સહિત પાંચ રાજ્યોમાં થોડાક સમય પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને શાનદાર સફળતા મળ્યા બાદ વિદેશી મૂડીરોકાણકારો હાલમાં અતિઉત્સાહિત દેખાઈ રહ્યા હતા અને મૂડી બજારમાં જંગી નાણા ઠાલવી રહ્યા હતા. ઓક્ટોબર અને જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા અભૂતપૂર્વ રકમ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ ફરી એકવાર ઉલ્લેખનીય પ્રવાહ જોવા મળી રહ્યો હતો.
મૂડીરોકાણકારો માની રહ્યા છે કે, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં એનડીએની અભૂતપૂર્વ જીત થયા બાદ સરકાર વધુ કઠોર અને સાહસી સુધારાવાદી નીતિ સાથે આગળ વધશે. ફેબ્રુઆરીમાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૧૫૮૬૨ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. આ પહેલા એફપીઆઈ દ્વારા ઓક્ટોબર ૨૦૧૬ અને જાન્યુઆરી ૨૦૧૭ વચ્ચેના ગાળામાં ૮૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.

Related posts

શેરબજારમાં મંદી યથાવત : વધુ ૨૬૬ પોઈન્ટનો ઘટાડો : રોકાણકારોમાં નિરાશા

aapnugujarat

ભારતે ગયા વર્ષે ૨.૧૬ લાખ કરોડના હીરાની નિકાસ કરી : રિપોર્ટ

aapnugujarat

અનિલ અંબાણીની FEMA ભંગના કેસમાં પૂછપરછ થઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1