Aapnu Gujarat
રાષ્ટ્રીય

નવરાત્રિમાં ગરબામાં બિનહિંદુ લોકોના પ્રવેશને લઈ અખિલ ભારતીય સંત સમિતિએ જાહેર કરી ચેતવણી

આ વર્ષે ૨૬ સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિની શરૂઆત થવાની છે. નવરાત્રિના તહેવાર પહેલાં ગરબા ડાન્સમાં બિનહિંદુ લોકોના પ્રવેશને લઈને અખિલ ભારતીય સંત સમિતિએ ચેતાવણી જાહેર કરી છે. મુસ્લિમ શબ્દનો ઉલ્લેખ કર્યા વગર અખિલ ભારતીય સંત સમિતિએ ચેતાવણી આપતા કહ્યુ હતુ કે, ગરબા આયોજકોમાં મુસ્લિમ યુવક તેમનું રિસ્ક લઈને જ પ્રવેશ કરે, જો કોઈ દુર્ઘટના ઘટે તો હિંદુ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. આ વર્ષે ૨૬ સપ્ટેમ્બરથી શરૂ થનારા નવરાત્રિ તહેવાર દરમિયાન પારંપારિક ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી સ્વામી જિતેન્દ્ર નંદે આ નિવેદન જાહેર કર્યુ છે. સ્વામી જિતેન્દ્ર નંદે એક વીડિયો જાહેર કર્યો છે કે, નવરાત્રિ દરમિયાન ભારતમાં કેટલાક રાજ્યોમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એ સામે આવ્યું છે કે, ગેરહિંદુ લોકો તેમની ઓળખ છુપાવીને લવજિહાદ કરવાના ઇરાદાથી ગરબા રમવા જાય છે. આ પરિસ્થિતિ આપણાં સૌની જવાબદારી છે કે આવા લોકોને રોકવા જોઈએ. તેટલું જ નહીં, દેશના તમામ ગરબા સંચાલક સમિતિઓને અખિલ ભારતીય સંત સમિતિનો આગ્રહ છે કે, ગરબાનું આયોજન કરનારા લોકોએ આઇડી તપાસીને જ પ્રવેશ આપવાની મંજૂરી આપવી જોઈએ. જેથી હિંદુ વહુ-દીકરીઓે સાથે ગરબા રમનારા લોકો કોણ છે તે જાણી શકાય. આ સાથે જ સ્વામી જિતેન્દ્ર નંદે ચેતવણી જાહેર કરી છે કે, બિનહિંદુ ધર્મના લોકોએ તેમના રિસ્ક પર ગરબામાં ઘૂસવું, જો કોઈ દુર્ઘટના થાય તો હિંદુ સમાજ તેનો જવાબદાર ગણાશે નહીં. તો બીજી તરફ, મધ્યપ્રદેશમાં ગરબામાં ગેરહિંદુ વ્યક્તિને રોકવા માટે પગલાં લેવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં એક હિંદુ ધાર્મિક નેતાએ ઘોષણા કરી છે કે, ‘લવજેહાદ’ના પ્રયત્નો નિષ્ફળ કરવા માટે સંગઠના કાર્યકર્તા નવરાત્રિ દરમિયાન પ્રદેશના ગરબા કાર્યક્રમોમાં આધારકાર્ડ બતાવીને જ પ્રવેશ આપવામાં આવશે. તેથી કોઈ બિનહિંદુ વ્યક્તિ પ્રવેશ ના કરે. અખંડ હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ આહ્વાન અખાડાના મહામંડલેશ્વર અતુલેશાનંદ સરસ્વતીએ કહ્યુ કે, લવજેહાદને રોકવા માટે ગરબા આયોજનોમાં તિલક લગાવીને અને આધાર કાર્ડ તપાસીને જ લોકોને પ્રવેશ આપવામાં આવશે. આ માટે અમે રાજ્યના તમામ ગરબા કાર્યક્રમોમાં અખંડ હિંદુ સેનાના ૧૦-૧૦ કાર્યકર્તા અને હિંદુવાહિનીની બહેનોની નિમણૂક કરશે. આ પહેલાં રાજ્યની સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુરે કહ્યુ હતુ કે, લવજેહાદ રોકવા માટે આગામી નવરાત્રિ દરમિયાન ઓળખપત્રની તપાસ કર્યા બાદ જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

Related posts

ભાજપ ઉત્તરપ્રદેશમાં એક તૃતિયાંશ લોકસભા બેઠકો પર ઉમેદવારો બદલશે..!!?

aapnugujarat

લોન મોરિટેરિયમ : સુપ્રિમમાં સુનાવણી બે સપ્તાહ ટળી

editor

समझौता एक्सप्रेस 76 भारतीय और 41 पाक नागरिकों को लेकर दिल्ली पहुंची

aapnugujarat

Leave a Comment

UA-96247877-1