Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો જૂની પેન્શન યોજના લાગુ કરાશે : રાહુલ ગાંધી

ગુજરાતમાં વિવિધ વિભાગના કર્મચારીઓ આંદોલનના મૂડમાં આવી ગયા છે, આ વિભાગો દ્વારા પગારમાં વધારો કરવાની અને સારી સુવિધાઓ આપવાની માંગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ આંદોલનનો લાભ લેવાના પ્રયાસ હવે રાજકીય પાર્ટીઓ દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં ત્રણ દાયકા જેટલા સમયથી ભાજપ સત્તામાં છે ત્યારે હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સત્તામાં આવવા માટે મતદારોના મન જીતવા પ્રયાસ કરી રહ્યા છે. આવામાં શિક્ષણ, નોકરી, સ્વાસ્થ્ય સહિતની સેવાઓને લઈને નવી-નવી જાહેરાતો કરવામાં આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસ પ્રજા સરકાર સામે આંદોલન કરીને પોતાનો હક્ક આપવાની વાત કરી રહી છે.
હાલ રાહુલ ગાંધી દ્વારા દેશભરમાં ભારત જોડો યાત્રા કરવામાં આવી રહી છે અને કોંગ્રેસમાં અધ્યક્ષ કોણ તેની પણ એક પરીક્ષા થઈ રહી છે. રાહુલ ગાંધી ઘણી વખત કહી ચૂક્યા છે કે તેઓ અધ્યક્ષ સ્થાને ગાંધી પરિવારની બહારની વ્યક્તિને તક આપવા માગે છે, પરંતુ સોનિયા ગાંધી પાછા પડી રહ્યા છે. પરંતુ રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસની ફરી સત્તા લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેઓ અમદાવાદમાં તાજેતરમાં વિશાળ સભા પણ યોજી ચૂક્યા છે.
ગાંધીનગર જાણે છાવણીમાં ફેરવાયું હોય તે રીતે વિવિધ વિભાગોના કર્મચારીઓ દ્વારા ગ્રેડ પે, પગાર વધારો, કામના કલાકો, જૂની પેન્શન યોજના સહિતના મુદ્દે આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ આંદોલનમાં વિલેજ કમ્પ્યુટર ઓપરેટરો પણ જોડાયા છે, જેઓ ગામે ગામમાંથી ગાંધીનગરમાં એકઠા થઈને પોતાની માંગને વધારે મજબૂતાઈથી રજૂ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે રાહુલ ગાંધીએ પણ કર્મચારીઓના જૂની પેન્શન યોજનાને લાગુ કરવાના અવાજને ધ્યાને લીધો છે.રાહુલ ગાંધીએ આંદોલન કરીને માંગ કરી રહેલા કર્મચારીઓને તેમની સરકાર સત્તામાં આવશે તો પેન્શન યોજના લાગુ કરવાની બાંહેધરી આપી દીધી છે. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને લખ્યું છે કે, જૂની પેન્શન યોજનાનો અંત લાવીને ભાજપે ઘરડાઓને આત્મનિર્ભરથી નિર્ભર બનાવી દીધા. દેશને મજબૂત કરતા સરકારી કર્મચારીઓનો હક છે, જૂની પેન્શન યોજના. તેમણે આ અંગે આગળ કહ્યું છે કે, અમે રાજસ્થાન, છત્તીસગઢમાં જૂની પેન્શન યોજના ચાલુ કરી છે. હવે ગુજરાતમાં પણ કોંગ્રેસની સરકાર આવશે તો જૂની પેન્શન યોજના ચાલુ કરવામાં આવશે.
એક તરફ આમ આદમી પાર્ટી ભાજપના શાસનથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોના તથા વીજળી સહિતના મુદ્દે ખુલ્લી ચર્ચાની ચેલેન્જ ફેંકી રહ્યા છે. આવામાં પંજાબમાં ૬ મહિનામાં આપે જે કામ કર્યું છે તેનો પ્રચાર કરીને ફ્રી વીજળી, જૂની પેન્શન યોજના, સ્વાસ્થ્ય સહિતના મુદ્દાઓને ઉઠાવવામાં આવી રહ્યા છે.સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માગણી સાથે આંદોલન કરી રહ્યા છે તો વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો-વીસીઈ અને વનરક્ષકો મોટી સંખ્યામાં દેખાવો કરવા માટે ઉમટી રહ્યા છે. વર્ગ-૪ના કર્મચારીઓની કાયમી ભરતી કરવાની માગણીઓ પણ ઉઠી રહી છે. આ સિવાય તબીબો તતા તબિબી સ્ટાફ માટે ઓપીડીનો સમયગાળો વધારવામાં આવ્યો છે, તેની સામે મોરચો ખુલી રહ્યો છે. ગાંધીનગર પહોંચેલા કેટલાક આંદોલનકારીઓની અટકાયત પણ કરવામાં આવી છે.

Related posts

कीटनाशक दवाई छिड़कने का २.३० करोड़ का खर्च मंजूर

aapnugujarat

ઇવીએમ-વીવીપેટની સુરક્ષા માટે ત્રણ સ્તરીયની સલાતમી

aapnugujarat

કોંગ્રેસના પ્રચાર માટે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1