નોઈડામાં આજે સુપરટેકના બંને ટ્વીન ટાવર તોડી પાડવામાં આવ્યા હતા. સાથે જ આ મુદ્દે રાજકારણ પણ તેજ થઈ ગયું છે. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ ટિ્વન ટાવરને લઈને કોંગ્રેસ, સપા અને બસપા પર નિશાન સાધ્યું. ટ્વીન ટાવર ધરાશાયી થયા બાદ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે ટ્વીન ટાવર અખિલેશના ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો છે. આ છે કોંગ્રેસનો દેશવ્યાપી ભ્રષ્ટાચાર અને સપા-બસપાનો રાજ્યવ્યાપી ભ્રષ્ટાચાર. તમને જણાવી દઈએ કે, યોગી સરકાર ટિ્વન ટાવરના મુદ્દાને લઈને સપા પર પ્રહારો કરી રહી છે. માત્ર કેશવ જ નહીં, ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે પણ સપા પર નિશાન સાધ્યું. ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠકે લખ્યું, નોઈડાના સુપરટેક ટ્વીન ટાવર સમાજવાદી પાર્ટીની ભ્રષ્ટાચાર અને અરાજકતાની નીતિનો જીવંત પુરાવો છે. આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શાસનકાળમાં સપાના કુકર્મોનું પ્રતિક સમાન આ ગેરકાયદેસર ઈમારત જમીનદોસ્ત થઈ. આ છે ન્યાય, આ છે સુશાસન. બંને ડેપ્યુટી સીએમ પર વળતો પ્રહાર કરતા સપાના પ્રવક્તા અનુરાગ ભદૌરિયાએ કહ્યું કે જે લોકો ભ્રષ્ટાચાર કરે છે તેમને પોતાની આસપાસ ભ્રષ્ટાચાર જ દેખાય છે. તેમણે વધુમાં કહ્યું કે જે સરકાર લોકોની નજરમાં પડી ગઈ છે તેઓ જ્યારે પડવાની અને પાડવાની વાત કરે છે ત્યારે તે ખૂબ જ હાસ્યાસ્પદ લાગે છે.
તમને જણાવી દઈએ કે, નોઈડાના સેક્ટર-૯૩છમાં સ્થિત સુપરટેક બિલ્ડરનો ટ્વીન ટાવર રવિવારે બપોરે ૨.૩૦ વાગ્યે થોડી જ સેકન્ડમાં જમીનદોસ્ત થઈ ગયો હતો. ટિ્વન ટાવર તોડી પાડ્યા બાદ અહીં ઘણો કાટમાળ જમા થયો છે. અહીં કાટમાળનો જથ્થો એટલો બધો છે કે તે કાટમાળના ત્રણ માળના પહાડ જેવો બની ગયો છે.
તમને જણાવી દઈએ કે, નોઈડાના સેક્ટર-૯૩છમાં સ્થિત સુપરટેકના ટ્વીન ટાવર્સના ગેરકાયદે બાંધકામને કારણે કાર્યવાહી કરવામાં આવી હતી. ટાવરને તોડી પાડવાનો નિર્ણય દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે લીધો હતો. લગભગ ૧૦૦ મીટર ઉંચા સ્ટ્રક્ચર્સને થોડી જ સેકન્ડોમાં વિસ્ફોટ કરવામાં આવ્યો અને તોડી પાડવામાં આવ્યો. દિલ્હીના ઐતિહાસિક કુતુબ મિનાર કરતા ઊંચો સ્કાયસ્ક્રેપર ટ્વીન ટાવર વોટરફોલ ઈમ્પ્લોશન ટેકનિકની મદદથી તોડી પાડવામાં આવ્યો હતો. ટ્વીન ટાવર તોડી પાડ્યાની થોડીવાર પછી આસપાસની ઇમારતો સલામત દેખાઈ.
પાછલી પોસ્ટ