વર્ષ ૧૯૬૬માં બનેલી સુનિલ દત્ત અને વૈજયંતિ માલા અભિનિત ફિલ્મ આમ્રપાલીની રિમેક બનાવવાની તૈયારી હવે શરૂ કરવામાં આવી ચુકી છે. આ ફિલ્મનુ શુટિંગ ટુંક સમયમાં જ શરૂ કરવામાં આવનાર છે. દક્ષિણ ભારતની અભિનેત્રી ઝીનલ પંડ્યા આ ફિલ્મમાં અભિનેત્રી તરીકેની ભૂમિકા અદા કરનાર છે. હવે એવુ જાણવા મળ્યુ છે કે ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મમાં સંજય દત્તને લેવાનો નિર્ણય કર્યો છે જે મોટી ભૂમિકા અદા કરનાર છે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે ગયા વર્ષે જ ઝીનલ સાથે સંબંધિત કેટલીક બાબતોને પૂર્ણ કરી લેવામાં આવી છે. સંજય દત્ત પહેલથી જ આ પ્રોજેક્ટને લઇને લીલીઝંડી આપી ચુક્યો છે. ફિલ્મના નિર્માતા સંજય દત્ત જેલની અવધિ પૂર્ણ કરીને બહાર નિકળે તેની રાહ જોઇ રહ્યા હતા. હવે સંજય દત્ત બહાર આવી ચુક્યો છે ત્યારે ફિલ્મના શુટિંગને ટેકનિકલ કામ પૂર્ણ કરી લીધા બાદ આગળ વધારી દેવામાં આવનાર છે. સંજયદત્તે ફિલ્મને લઇને તારીખ પણ આપી દીધી છે. શરૂઆતના હિસ્સાનુ નિર્દેશન અતુલ ગર્ગ કરનાર છે. સરોજ ખાન અને ગાયિકા મધુશ્રીની મદદ લેવામાં આવી રહી છે. મધુશ્રીએ માહિતી આપતા કહ્યુ છે કે આ ફિલ્મ સંગીત પ્રધાન છે. તેમાં લતાના ગીતો આજે પણ તમામને રોમાંચક કરી નાંખે છે. ફિલ્મનુ શુટિંગ વારાણસી, જયપુર, ગયા, સહિતની જગ્યાએ કરવામાં આવનાર છે.
ફિલ્મના સેટને તૈયાર કરવા માટે ખાસ લોકોને આમંત્રિત કરવામા આવી રહ્યા છે. સ્ટાર સંજય દત્ત અન્ય કેટલીક ફિલ્મો પણ હાલમાં કરી રહ્યો છે જેમાં ભૂમિ ફિલ્મનુ શુુટિંગ પૂર્ણ કરી લેવામા ંઆવ્યુ છે. ફિલ્મમાં તેની સાથે અદિતી રાવ હેદરી મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરી રહી છે. ફિલ્મ ખુબ લોકપ્રિય અને સફળ થાય તેવી પણ શક્યતા દેખાઇ રહી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ