Aapnu Gujarat
રાષ્ટ્રીય

દિલ્હીમાં એક જ પરિવારમાં ૧૫૦ ડૉક્ટર

વિશ્વમાં ૧ જુલાઈએ ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. કોવિડ સમયગાળામાં ડોકટરોએ કરેલી સેવા ક્યારેય ન ભૂલી શકાય. કોરોના કાળમાં જીવન બચાવવા ડોકટર અને આરોગ્ય કર્મચારીઓએ પોતાના જીવની પરવાહ કર્યા વિના લોકોની સેવા કરી..ત્યારે દિલ્હીમાં એક એવો પરિવાર પણ છે જેમાં છેલ્લા ૧૦૦ વર્ષથી લોકો ડોકટર જ બની રહ્યા છે. ભારતના યુવાનો ડોક્ટર બનવામાં બહુ રસ દાખવતા નથી. કારકિર્દીના નવા વિકલ્પો અને ડૉક્ટર બનવામાં લાગતા લાંબા સમયના લીધે ડોકટરની સંખ્યા ઘટી ગઈ છે. જો કે આ સમય દરમિયાન અમે તમને એક એવા પરિવારની વાર્તા કહીશું જે જાણીને તમે ચોંકી ઉઠશો. દિલ્હીના સબરવાલ પરિવારના દરેક સભ્ય વર્ષ ૧૯૨૦ થી તબીબી વ્યવસાયમાં છે. આ પરિવારમાં કુલ ૧૫૦ થી વધુ ડોકટરો છે. આ પરંપરા કેવી રીતે શરૂ થઈ અને આ પરંપરાને આગળ ધપાવવામાં કયા પડકારોનો સામનો કરવો પડ્યો, તે પાછળ ઘણી મોટી કહાની છે. આ પરિવારની વાર્તા થોડી અલગ છે. સાસુ અને વહુ એકબીજા સાથે વાત કરે છે અને ક્લિનિકમાં પણ સાથે રહે છે. સાસુ ડૉ. માલવિકા સબરવાલ ગાયનેકોલોજિસ્ટ છે અને પુત્રવધૂ ગ્લોસી સબરવાલ રેડિયોલોજીસ્ટ છે. બંને ઘણીવાર દર્દીઓના કેસ સાથે મળીને ચર્ચા કરે છે. બંને મહિલાઓ સારી રીતે જાણે છે કે તેમનો વ્યવસાય અને સંબંધ કેટલો સંવેદનશીલ છે અને એટલી જ સંવેદનશીલતા સાથે બંને કામમાં વ્યસ્ત છે. ૧૯૨૦ માં આ પરિવારના મોભી લાલા જીવનમલે પ્રથમ હોસ્પિટલ શરૂ કરી હતી. તેમને ગાંધીજીના ભાષણમાંથી પાકિસ્તાનના જલાલપોર જટ્ટા શહેરમાં આ હોસ્પિટલ શરૂ કરવાની પ્રેરણા મળી. ગાંધીજીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે આપણા દેશનું ભવિષ્ય શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓની વ્યવસ્થા પર નિર્ભર રહેશે. બાદમાં લાલા જીવનમલે નક્કી કર્યું કે તેઓ તેમના ચાર પુત્રોને ડૉક્ટર બનાવશે.આઝાદી બાદ પરિવારે આ પરંપરાને દિલ્હીમાં જીવનમાલા હોસ્પિટલના નામથી ચાલુ રાખી છે. પરિવારે ૧૯૭૫માં દિલ્હીની હોસ્પિટલના કેટલાક જૂના પ્રિસ્ક્રિપ્શન્સ પણ રાખ્યા છે અને ફી તરીકે કાપવામાં આવેલી ૫ રૂપિયાની સ્લિપ પણ છે. પરિવારના એક પુત્રએ મેનેજમેન્ટ છોડીને દવાનો અભ્યાસ શરૂ કર્યો છે. આજે તે એક સફળ સર્જન છે. સર્જન અને પરિવારના વડા ડૉ. વિનય સબરવાલ કહે છે કે દિલ્હીની તમામ જીવનમાલા હૉસ્પિટલમાં એવી પરંપરા છે કે પૈસાના અભાવે દર્દી પરત ન જવો જોઈએ. ગયા વર્ષે આ પરિવારના ૨ ડૉક્ટર સભ્યોનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. દરેક રોગ માટે એક જ પરિવારમાં ડૉક્ટર છે. પરિવારની સૌથી મોટી પુત્રવધૂ ડો.માલવિકા સબરવાલને પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે.આજે તેઓ લગભગ ૭૦ વર્ષના છે પરંતુ તેઓ દિવસભર હોસ્પિટલમાં દર્દીઓને જોવા માટે સખત મહેનત કરતા જોવા મળે છે. દીકરો, પતિ, વહુ, દીકરી, ઘર ચલાવવાની સાથે સાથે હોસ્પિટલ ચલાવવાની અનેક યુક્તિઓ અને મેડિકલનો અનુભવ આ બાબતોમાં શીખવે છે. હાલમાં, ભારતમાં ૧૦૦૦ લોકો દીઠ ૧.૭ ટકા નર્સ અને ૧૪૦૪ લોકો દીઠ ૧ ડૉક્ટર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ દર ૧૦૦૦ લોકો માટે ૩ નર્સ અને ૧૧૦૦ વસ્તી માટે ૧ ડૉક્ટર હોવો જોઈએ. ડોક્ટરોની અછતની સ્થિતિ કંઈક આવી છે.

Related posts

Jammu-Srinagar National Highway closed due to landslides at different places

aapnugujarat

અરુણાચલપ્રદેશઃ દેશની સુરક્ષા મજબૂત કરવા ચીન સરહદે સુરંગ બનાવશે ભારત

aapnugujarat

K’taka HC directs Centre issue necessary notification in CBI taking over IMA case probe

aapnugujarat

Leave a Comment

UA-96247877-1