Aapnu Gujarat
રાષ્ટ્રીય

પંજાબમાં પ્રેમ લગ્ન કરનાર બહેનની ભાઈઓએ હત્યા કરી

પંજાબના તરનતારન જિલ્લામાં ઓનર કિલિંગની એક રુવાંટા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક યુવતીને તેના ભાઈઓએ બજાર વચ્ચે તીક્ષણ હથિયારથી હુમલો કરીને હત્યા કરી દીધી છે. બતાવવામાં આવી રહ્યું છે કે યુવતીના ભાઇ તેના પ્રેમ વિવાહથી નારાજ હતા. યુવતીએ ત્રણ મહિના પહેલા જ પોતાની પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. યુવતીનો પરિવાર આ લગ્નની વિરુદ્ધમાં હતો. આ નારાજગીના કારણે તેના સગા ભાઇ અને પિતરાઇ ભાઈઓએ તેની બજાર વચ્ચે હત્યા કરી દીધી હતી. બન્ને ભાઈઓએ ધારદાર હથિયારથી બહેન પર હુમલો કર્યો હતો. યુવતી પાંચ મિનિટ તડપતી રહી હતી પણ કોઇએ તેની મદદ કરી ન હતી અને પછી તેનું મોત થયું હતું. પોલીસે મૃતક યુવતીના સગા ભાઇ રોહિત અને પિતરાઇ ભાઇ અમર સામે હત્યાનો કેસ નોંધ્યો છે. હાલ આરોપી ફરાર છે. જણાવી દઈએ કે સ્નેહા રાજન જોશન નામના યુવક સાથે પ્રેમમાં હતી. બન્નેનો પ્રેમ યુવતીના પરિવારને પસંદ ન હતો. આમ છતા બન્ને પ્રેમીઓએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. ત્રણ મહિના પહેલા સ્નેહાએ પોતાના પરિવારજનોની વિરુદ્ધમાં જઈને સ્થાનીક કોર્ટમાં રાજન સાથે લગ્ન કરી લીધા હતા. આ વાતને લઇને સ્નેહાના ભાઇ અને માતા બન્ને વિરુદ્ધમાં હતા. બતાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારે રાત્રે સ્નેહા ઘરેથી સામાન લેવા માટે બજાર ગઈ હતી. પહેલા જ ઘાત લગાવીને બેસેલા સ્નેહાના ભાઈઓએ તેને રસ્તામાં રોકી લીધી હતી. તેમણે સ્નેહાને થપ્પડો મારી હતી અને આ પછી ધારદાર હથિયારથી હત્યા કરી દીધી હતી. આખી ઘટના અઢી મિનિટમાં બની હતી. હત્યા કરીને બન્ને ભાઈઓ ફરાર થઇ ગયા હતા. થાના પટ્ટીના પ્રભારી એસએચઓ બલવિંદર સિંહ ઔલખે કહ્યું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે યુવતીનો પરિવાર પ્રેમ લગ્નથી ખુશ ન હતો. જેથી યુવતીને મોતને ઘાટ ઉતારી છે. આ મામલે યુવતીના પરિવારના બે લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

Related posts

રાફેલ મામલે તપાસ કરવા રાહુલની ફરી ઉગ્ર માંગણી

aapnugujarat

प्रवीण तोगड़िया ने कहा- देवभूमि को नहीं बनने देंगे दानव भूमि

aapnugujarat

મુંબઈમાં ગઈકાલ રાતથી ભારે વરસાદ, દુકાન-ઓફિસો બંધ રાખવાનો આદેશ

editor

Leave a Comment

UA-96247877-1