Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નીતિશમાં અંતરાત્મા નથી, હવે મોદી આત્મા છે : તેજસ્વી

બિહારના પૂર્વ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મોરચો ખોલ્યો છે. તેજસ્વીએ જેડીયુ-બીજેપી સરકારમાં ૭૫ ટકા દાગી મંત્રી હોવાને લઈને કટાક્ષ કરતા કહ્યું કે, નીતિશ કુમાર કઈ નૈતિકતાની વાત કરે છે. તેજસ્વીએ પનામા પેપર્સનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, આમાં જેમનું નામ આવ્યું છે, શું નીતિશ કુમાર પીએમ મોદી પાસે તપાસની માંગણી કરશે?તેજસ્વીએ પૂછ્યું કે, પનામા પેપર્સમાં છત્તીસગઢના સીએમ રમન સિંહનું નામ છે, તેમાં નીતિશ કુમારની અંતરાત્મા ક્યાં ગઈ. તેજસ્વીના અનુસાર, મહાગઠબંધન તોડવા માટે મારા પર ખોટો કેસ કરવામાં આવ્યો હતો. અંતરાત્મા નહિ, કુર્સી આત્મા, ડર આત્મા, પોતાની સહુલિયતના હિસાબે અંતરાત્મા જગાવે છે નીતિશ કુમાર. તેજસ્વીએ નીતિશ પર કટાક્ષ કરતા કહ્યું કે, નીતિશ હે રામથી જય શ્રી રામ તરફ જતા રહ્યાં છે.તેજસ્વીએ પ્રેસ કોન્ફરન્સમાં બિહાર વિધાનસભામાં ભાષણ આપવા પર રોકવાનો આરોપ લગાવ્યો હતો. તેજસ્વીએ મુખ્ય રીતે નીતિશ પર નિશાન બનાવીને નૈતિકતાનો ઢોંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેજસ્વીએ કહ્યું કે, સરકારમાં હારેલા લોકોને મંત્રી પદ આપવામાં આવ્યુ છે. કેમ કે, બીજેપી કે જેડીયુ નેતાઓના સંબંધીઓ છે. નીતિશ પર વોટની ચોરીનો આરોપ લગાવતા તેજસ્વીએ કહ્યું કે, નીતિશ સરકાર વધુ દિવસ સુધી ચાલશે નહિ, કેમ કે, બિહારની જનતા ધોખાનો બદલો જરૂર લેશે.

Related posts

જવાનોનું બલિદાન વ્યર્થ જશે નહીં : મોદી

aapnugujarat

બાબા બર્ફાનીનાં દર્શન કરવા ૪૫૪ ભક્તો રવાના

aapnugujarat

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજથી ચોથી ટેસ્ટ મેચ શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1