મ ઈન્ડિયાને સાઉથ આફ્રિકા સામે પોતાના ઘરે ૫ મેચની ટી૨૦ ઈન્ટરનેશનલ સિરીઝ રમવાની છે.
ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે ૯ મે થી ૧૯ જૂન સુધી ટી૨૦ સિરીઝ રમવામાં આવશે. વીવીએસ લક્ષ્મણને સાઉથ આફ્રિકા સામે ઘરેલૂ ટી૨૦ સિરીઝ અને આયર્લેન્ડ સામે ટી૨૦ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના કોચ બનાવવામાં આવી શકે છે.
ટીમ ઈન્ડિયાને ૨૬ જૂનથી ૨૮ જૂન સુધી આયર્લેન્ડ સામે બે મેચની ટી૨૦ સિરીઝ રમવાની છે. ટીમ ઈન્ડિયા નિયમિત કોચ રાહુલ દ્રવિડ ૧૫ અથવા ૧૬ જૂને સીનિયર ખેલાડીઓ વાળી ભારતીય ટીમની સાથે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થઈ શકે છે. ટીમ ઈન્ડિયા ૧ ટેસ્ટ, ૩ વન ડે અને ૩ ટી ૨૦ મેચ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે.
રિપોર્ટ અનુસાર બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યુ, રાહુલ દ્રવિડ ૧૫ કે ૧૬ જૂને ભારતીય ટીમની સાથે બ્રિટન પ્રવાસ માટે રવાના થશે. આ સિવાય બોર્ડ વીવીએસ લક્ષ્મણને સાઉથ આફ્રિકા સામે ઘરેલૂ ટી૨૦ સિરીઝ અને આયર્લેન્ડ સામે ટી૨૦ સિરીઝ માટે કોચ તરીકે જાેડાવાનુ કહેશે.
પાછલી પોસ્ટ