Aapnu Gujarat
રમતગમત

VVS LAXMAN ને દ.આફ્રિકા સામેની શ્રેણીમાં કોચ બનાવવાની શક્યતા

મ ઈન્ડિયાને સાઉથ આફ્રિકા સામે પોતાના ઘરે ૫ મેચની ટી૨૦ ઈન્ટરનેશનલ સિરીઝ રમવાની છે.
ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે ૯ મે થી ૧૯ જૂન સુધી ટી૨૦ સિરીઝ રમવામાં આવશે. વીવીએસ લક્ષ્મણને સાઉથ આફ્રિકા સામે ઘરેલૂ ટી૨૦ સિરીઝ અને આયર્લેન્ડ સામે ટી૨૦ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાના કોચ બનાવવામાં આવી શકે છે.
ટીમ ઈન્ડિયાને ૨૬ જૂનથી ૨૮ જૂન સુધી આયર્લેન્ડ સામે બે મેચની ટી૨૦ સિરીઝ રમવાની છે. ટીમ ઈન્ડિયા નિયમિત કોચ રાહુલ દ્રવિડ ૧૫ અથવા ૧૬ જૂને સીનિયર ખેલાડીઓ વાળી ભારતીય ટીમની સાથે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થઈ શકે છે. ટીમ ઈન્ડિયા ૧ ટેસ્ટ, ૩ વન ડે અને ૩ ટી ૨૦ મેચ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે.
રિપોર્ટ અનુસાર બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યુ, રાહુલ દ્રવિડ ૧૫ કે ૧૬ જૂને ભારતીય ટીમની સાથે બ્રિટન પ્રવાસ માટે રવાના થશે. આ સિવાય બોર્ડ વીવીએસ લક્ષ્મણને સાઉથ આફ્રિકા સામે ઘરેલૂ ટી૨૦ સિરીઝ અને આયર્લેન્ડ સામે ટી૨૦ સિરીઝ માટે કોચ તરીકે જાેડાવાનુ કહેશે.

Related posts

पूर्व भारतीय क्रिकेटर कपिल देव को पड़ा दिल का दौरा

editor

ભારતીય ટીમને શહીદ સૈનિકોની યાદમાં સૈન્ય કેપ પહેરવાની પરવાનગી આપવામાં આવીઃ આઈસીસી

aapnugujarat

નેહવાલે ઇન્ડોનેશિયન માસ્ટર તાજ જીત્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1