Aapnu Gujarat
રમતગમત

આફ્રિકા સિરીઝમાં કોહલી જ નહીં પરંતુ કેટલાક સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે

ઈન્ડિયન પ્રીમિયર લીગ બાદ ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે ટી ૨૦ શ્રેણી રમવાની છે. આઈપીએલના થાક બાદ ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવે તેવી શક્યતા છે. આમાં વિરાટ કોહલીનું નામ ટોચ પર છે, જે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને સતત ક્રિકેટ પણ રમી રહ્યો છે. જાેકે, માત્ર વિરાટ કોહલી જ નહીં પરંતુ અન્ય કેટલાક સિનિયર ખેલાડીઓને પણ આરામ આપવામાં આવી શકે છે. ટીમ ઈન્ડિયાને જૂન-જુલાઈમાં ઈંગ્લેન્ડ જવાનું છે, તેથી વિરાટ કોહલી જેવા મોટા ખેલાડી માટે આરામ જરૂરી છે. તેથી તેને દક્ષિણ આફ્રિકાની ટી-૨૦ શ્રેણીમાંથી આરામ આપવામાં આવી શકે છે.
એક અધિકારીએ જણાવ્યું કે વિરાટ કોહલીને દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં આરામ આપવામાં આવે તેવી શક્યતા છે. તે સતત ક્રિકેટ રમી રહ્યો છે અને લાંબા સમયથી બાયો-બબલનો ભાગ છે. આ એક નીતિગત ર્નિણય છે, જેમાં વિરાટ કોહલી સહિત અન્ય ખેલાડીઓને સમયાંતરે આરામ આપવો પડે છે. દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતમાં ૯ જૂનથી ૧૯ જૂન સુધી પાંચ મેચોની ટી ૨૦ સીરિઝ રમશે. આ મેચો દિલ્હી, કટક, વિશાખાપટ્ટનમ, રાજકોટ અને બેંગ્લોરમાં રમાશે. આ પછી ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં ટી-૨૦ શ્રેણી, વનડે શ્રેણી ઉપરાંત એક ટેસ્ટ મેચ રમવાની છે.
વિરાટ કોહલી હાલમાં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે,આઇપીએલ ૨૦૨૨માં તે ત્રણ વખત ગોલ્ડન ડક માટે આઉટ થયો છે. તેણે ૧૨ મેચમાં માત્ર ૧૯.૬૩ની એવરેજથી ૨૧૬ રન બનાવ્યા છે. વિરાટ કોહલીને સતત બ્રેકની સલાહ આપવામાં આવી રહી છે જેથી તે ફ્રેશ મન સાથે મેદાન પર પરત ફરી શકે. જ્યાં ટીમની પસંદગી થવાની છે. એવું માનવામાં આવે છે કે રોહિત શર્મા, કેએલ રાહુલ, જસપ્રિત બુમરાહ, ઋષભ પંત જેવા વરિષ્ઠ ખેલાડીઓને પણ આરામની જરૂર છે, જેઓ સતત ક્રિકેટ રમી રહ્યા છે અને બાયોબબલનો ભાગ છે. સિરીઝ પાંચ મેચની હોવાથી સિનિયર ખેલાડીઓને શરૂઆતની કે છેલ્લી બે-ત્રણ મેચોમાં આરામ આપી શકાય છે. આવી સ્થિતિમાં આ વખતે યુવા ખેલાડીઓને રમવાની તક મળી શકે છે.

Related posts

एटीपी ग्रासकोर्ट : बबलिक को हराकर जाॅन इसनेर ने जीता खिताब

aapnugujarat

કોમનવેલ્થ ગેમ્સ 2026માંથી કુસ્તી અને શૂટિંગને બહાર કરાઇ

aapnugujarat

क्रिकेट में वापसी करेंगे मैक्सवेल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1