બોલિવુડની વિતેલા વર્ષોની લોકપ્રિય અભિનેત્રી અને હાલમાં બિઝનેસ વુમન તરીકે સક્રિય રહેલી શિલ્પા શેટ્ટી સારી પટકથા ધરાવતી ફિલ્મો કરવા ઇચ્છુક છે. જો કે તેની પાસે હાલમાં મુખ્ય અભિનેત્રી તરીકેની ફિલ્મો આવી રહી નથી. સાથે સાથે તે મુખ્ય અબિનેત્રી બનવા માટે પણ તૈયાર નથી. તેને શોભે તેવી ભૂમિકા કરવા માટે તે ઇચ્છુક છે. શિલ્પાએ કહ્યુ છે કે તે ફિલ્મોમાં વાપસી કરવા માટે કોઇ ઉતાવળ કરી રહી નથી. તેનુ કહેવુ છે કે તે આડેધડ કોઇ રોલ કરશે નહી. તે હવે નંબર ગેમમાં વિશ્વાસ કરતી નથી. માત્ર મનોરંજન પુરતી ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા ધરાવે છે. યોગ્ય પટકથા હાથ લાગશે તો જ તે ફિલ્મમાં કામ કરનાર છે. તેનુ કહેવુ છે કે તે પારિવારિક જવાબદારીમાં હાલ વ્યસ્ત થયેલી છે. તેની પાસે કેટલીક પટકથા આવી પણ છે પરંતુ આ પટકથા તેને પસંદ પડી નથી. કોઇ સારી પટકથા રહેશે તો જ તે ફિલ્મમાં કામ કરશે. શિલ્પા શેટ્ટી કહે છે કે પુત્ર વિયાન મોટો થયો છે. તે હાલમાં સ્કુલ જવા લાગી ગયો છે. તેનુ કહેવુ છે કે બોલિવુડની અન્ય વિતેલા વર્ષોની સુપરસ્ટાર અભિનેત્રીઓની જેમ તે વાપસી કરવા માટે ઇચ્છુક નથી. તે બિઝનેસ અને પરિવારને હાલમાં ન્યાય આપવા માટેના પ્રયાસમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે તે રાજ કુન્દ્રા સાથે થોડાક સમય સુધી પ્રેમમાં રહ્યા બાદ તેની સાથે લગ્ન કરી લીધા હતા.ત્યારબાદ તે ક્રિકેટના બિઝનેસમાં દેખાઇ હતી. આઇપીએલ મેચમા તે મોટા ભાગે જોવા મળતી હતી. જો કે આઇપીએલ કોંભાડને લઇને મામલો સપાટી પર આવ્યા બાદ તે પણ વિવાદના ઘેરામાં આવી હતી. કારણ કે રાજ કુન્દ્રા ફસાઇ ગયા હતા.
ફિલ્મોમાં તે ફરી એકવાર ક્યારેય દેખાશે કે કેમ તે અંગે પુછવામાં આવતા શિલ્પાએ કહ્યુ હતુ કે સારી પટકથા આવશે તો ચોક્કસપણે તે કામ કરશેપરંતુ પહેલાની જેમ તે કામ નહી કરે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ