Aapnu Gujarat
Nationalજીવનશૈલીતાજા સમાચારસ્વસ્થતા

ઘરમાં આ પાંચ છોડ લાગવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે.

હિંદુ ધર્મના શાસ્ત્રો અનુસાર અમુક વૃક્ષ અને છોડને પવિત્ર ગણવામાં આવે છે. જેમાં છોડને તો દરેક વ્યક્તિ ઘરમાં ઉછેર કરી શકે છે.તેમજ આમ પણ પાંચ છોડને તો શાસ્ત્રોમાં બહુજ મહત્વ અપાયું છે. આ પાંચ છોડ તુલસી,વાંસ, શમી,,કાસુલા અને હળદર છે

આ છોડ વાસ્તુ શાસ્ત્રની દષ્ટિએઘણા શુભ મનાય છે. કેમકે વાસ્તુ શાસ્ત્ર અનુસાર અમુક છોડ ઘરના વાતાવરણને શુદ્ધ કરવાની સાથે સાથે સકારાત્મક ઉર્જાનો પણ સંચાર કરે છે. જેમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આ છોડને લગાવાય તો ઘરમાં માતા લક્ષ્મીનો વાસ કરે છે. આથી સુખ સમૃદ્ધિ વધે છે. કાસુલા આ છોડને ઘરના પ્રેવેશદ્વાર પર રાખવો જરૂરી છે.ક્રાસુલાને ધનસંપત્તિનો છોડ માનવામાં આવે છે. જેમાં વાસ્તુ શાસ્ત્ર મુજબ આ છોડ જો ઘરમાં લાગે તો ઘરની અનેક સમસ્યાઓ તો ઠીક સાથે ધન પણ વધે છે. તુલસી આમ તો હિંદુ ધર્મના લોકોને તુલસીનું મહત્વ ન સમજાવવાનું હોઈ .કેમકે તુલસી હિન્દૂ ધર્મમાં અનેક રીતે પૂજનીય છે. જેમાં તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તેમ મનાય છે.આ તુલસીને જો લગાવીને દરોજ પૂજા કરવામાં આવે તો સુખ અને સમૃદ્ધિ આવે છે. વાંસ વાંસના છોડએ સુખ-સમૃદ્ધિ માટે સારો મનાય છે. ત્યારે નાના આકારના વાંસને જોલાલ દોરા વડે બાંધી ઈશાન કોણ ખૂણામાં કે ઉત્તર દિશામાં રાખવામાં આવે તો વાંસનો છોડ આર્થિક ઉન્નતિ અપાવે છે. શમી આ શમીના છોડમાં શનિ દેવ ખુદ બિરાજમાન હોય છે. તેવી માન્યતા છેઅને મોટાભાગના ઘરમાં આ છોડ આપણને નજરે પડે છે. આને ઘરના મુખ્ય દ્વારની ડાબી અને પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. હળદર ઘરમાં હળદરનો છોડ લગાવવો એ શુભ છે. જોકે આ છોડ ને લગાવવા માટે પૂર્વ અથવા ઉત્તર-પૂર્વની દિશા શુભ મનાય છે. આ છોડની નિયમિત પૂજા કરવાથી મનોકામના પૂરી થાય છે.

Related posts

એનઆરસી : દાવા-વાંધઓ સ્વીકારવા માટેનો હુકમ થયો

aapnugujarat

જેટના સ્લોટને હાંસલ કરવા સ્પાઈસ અને એઆઈ તૈયાર

aapnugujarat

શાકભાજી સસ્તી : WPI ફુગાવો ૨.૬ ટકા , મોંઘવારી મોરચે રાહત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1