Aapnu Gujarat
Uncategorized

ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસના ફાળવવામાં આવ્યા પાંચ બેડ

આરોગ્ય ક્ષેત્રે લોકોને તાલુકા મથકે સુવિધાઓ મળી રહે જેને લઈ અને ગુજરાતની ભાજપ સરકાર કટિબદ્ધ છે ત્યારે ધોરાજી પાટણ વાવ જામકંડોરણા સહિતના ગ્રામ્ય પંથકના ડાયાલિસિસના દર્દીઓને ડાયાલિસિસ માટે રાજકોટ સુધી ધક્કા ખાવા ના પડે એવા હેતુ થી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે અત્યંત આધુનિક સાધનો થી સજ્જ ડાયાલિસિસના પાંચ બેડ ફાળવવામાં આવ્યા છે

જેનું લોકાર્પણ પોરબંદરના સાંસદ સભ્ય રમેશ ભાઈ ધડુક અને ધોરાજના ધારાસભ્ય લલિત વસોયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું આં તકે સાંસદ રમેશ ધડુક એ અને ધારાસભ્ય લલિત વસોયા એ રાજ્ય સરકારનું આભાર વ્યક્ત કરેલ અને હોસ્પિટલના અધિક્ષક ડોકટર જયેશ વસે ટીયન અને સ્ટાફ દ્વારા સાંસદ સભ્ય અને ધારાસભ્યનું સનમાન કરેલ હતું

Related posts

કાવીઠા ગામના ખેડૂતોનો જમીન સંપાદનના વળતરમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ

editor

રાજકોટ સ્થિત રૈયાધાર ખાતે ૩૫.૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ

aapnugujarat

शादी के चार दिन बाद लुटेरी दुल्हन आखिर में गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1