આરોગ્ય ક્ષેત્રે લોકોને તાલુકા મથકે સુવિધાઓ મળી રહે જેને લઈ અને ગુજરાતની ભાજપ સરકાર કટિબદ્ધ છે ત્યારે ધોરાજી પાટણ વાવ જામકંડોરણા સહિતના ગ્રામ્ય પંથકના ડાયાલિસિસના દર્દીઓને ડાયાલિસિસ માટે રાજકોટ સુધી ધક્કા ખાવા ના પડે એવા હેતુ થી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે અત્યંત આધુનિક સાધનો થી સજ્જ ડાયાલિસિસના પાંચ બેડ ફાળવવામાં આવ્યા છે
જેનું લોકાર્પણ પોરબંદરના સાંસદ સભ્ય રમેશ ભાઈ ધડુક અને ધોરાજના ધારાસભ્ય લલિત વસોયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું આં તકે સાંસદ રમેશ ધડુક એ અને ધારાસભ્ય લલિત વસોયા એ રાજ્ય સરકારનું આભાર વ્યક્ત કરેલ અને હોસ્પિટલના અધિક્ષક ડોકટર જયેશ વસે ટીયન અને સ્ટાફ દ્વારા સાંસદ સભ્ય અને ધારાસભ્યનું સનમાન કરેલ હતું