પાલિતાણા પાસે માઇધાર ખાતે પંડિત સુખલાલજી લોકવિદ્યાલયમાં ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ વિજ્ઞાન સપ્તાહનું આયોજન થયું હતું.લોક વૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેના માર્ગદર્શન સાથે યોજાયેલ આ વિજ્ઞાન સપ્તાહનું સમાપન પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણાની મુખ્ય ઉપસ્થિતિમાં થયું હતું.અહીં શિક્ષણવીદ શ્રી નલિનભાઈ પંડિત અને અગ્રણીઓ જોડાયા હતા. શ્રી ભાવનાબેન પાઠક તથા શ્રી પાર્થેશભાઈ પંડ્યા સાથે શ્રી પાતુભાઈ આહીર અને સંસ્થાના કાર્યકર્તા તથા વિદ્યાર્થીઓએ સુંદર સંકલન કર્યું હતું