દેશમાં ઠેરઠેર 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રંગેચંગે કરવામાં આવી રહી છે ત્યારે શ્રી સ્વામીનારાયણ માધ્યમિક શાળા, નિર્ભય સોસાયટી, ચિત્રા ભાવનગર ખાતે આજ રોજ 73 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી આન બાન અને શાન સાથે કરવામાં આવી હતી.
આજ ના પ્રસંગે મુખ્ય અતિથિ એવા પૂર્વ કોર્પોરેટર શ્રી યશપાલસિંહ ગોહિલના વરદ હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સોસાયટીના ઉપ પ્રમુખ શ્રી હાલુભા, મંત્રી શ્રી કિશોરસિંહ અને વાલી મંડળના પ્રમુખ શ્રી જયદીપ સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
.સમગ્ર ઉજવણી બાલમંદિર, પ્રાથમિક અને માધ્યમિક વિભાગનાં આચાર્યશ્રીઓના માર્ગદર્શન નીચે સમગ્ર સ્ટાફ ના સાથ સહકાર થી કરવામાં આવ્યુ હતુ.સૌ કોઈ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો