વાત કરવામાં આવે તો જુનાગઢ જિલ્લાના કેશોદની તો કેશોદ ખાતે આજ રોજ પુરષોતમ લાલજી ગૌ સેવા ટ્રસ્ટના માધ્યમ થી કેશોદ ખાતે શ્રી રણછોડરાયજી હોસ્પિટલ રાજકોટના સહયોગ થી નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેત્ર નિદાન સાથે સાથે ડાયાબીટીસ ચેકઅપ કેમ્પ તેમજ નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત હેલ્થ આઈડી વિતરણ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પની શરૂઆત દીપ પ્રાગટય સાથે કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો
જ્યારે કેમ્પમાં કેશોદ શહેર તેમજ તાલુકાના લોકો બહોળી સંખ્યામાં જોડાઈને કેમ્પનો લાભ લીધો હતો તેમજ કેમ્પમાં આવનાર તમામ દર્દીઓને પ્રવીણભાઈ ભાલારા શહેર ભાજપ પ્રમુખ અને જતિનભાઈ સોઢા શહેર ભાજપ મંત્રી તથા પ્રફુલભાઈ પંડ્યા શહેર ભાજપ મંત્રી દ્વારા આપવામાં આવ્યું હતું.આ તકે સરકારી હોસ્પિટલ કેશોદના દીપેનભાઈ અટારા અને NCD વિભાગ કેશોદ દ્વારા હેલ્થ આઈડી વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે વૈદ્ય ઉમેશભાઈ ભટ્ટ દ્વારા કમર સ્નાયુઓ તેમજ સાંધાના દુખાવાની નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી સાથે સાથે દાતને લગતી સારવાર ડો સુરેજા સાહેબ દ્વારા આપવામાં આવી હતી