દેશની આઝાદીના લડવૈયા અને આઝાદ હિંદ ફૌજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે ખેરાલુ શહેર ભાજપ સંગઠન યુવા મોરચા દ્વારા ” તુમ મુજે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દુંગા” . સૂત્ર ને સાર્થક કરવા આજ રોજ દોતોર હોસ્પિટલ ખેરાલુ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
.જેમા મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે બ્લડ ડોનેશન કરનાર રકતદાતાઓને ભાજપ યુવા મોરચા દ્વારા ચા કોફી બિસ્કીટના નાસ્તા તેમજ પ્રોત્સાહન રૂપે વોટર કુલર બેગ રક્તદાતાઓને આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ શુભમભાઈ પટેલ,ઉપપ્રમુખ પ્રશાંત પંડ્યા,મહામંત્રી ધર્મેશભાઈ દેસાઈ, મંત્રી સાવંત પરમાર, જયદીપ પ્રજાપતિ,હાર્દિક બારોટ , યુવરાજ મોદી, કોષાધ્યક્ષ ધવલભાઈ નાઈ, નીલેશ સથવારા, પાર્થ બ્રહ્મભટ્ટ, સંજયજી ઠાકોર તેમજ કાયૅકરોએ હાજર રહી રક્તદાન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ રક્તદાન કેમ્પમાં નૂતન જનરલ હોસ્પિટલ વિસનગર સંચાલિત બ્લડ બેન્ક તથા માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દોતોર હોસ્પિટલના વહીવટી તેમજ મેડિકલ સ્ટાફ દ્વારા સરાહનીય સેવા આપવામાં આવી હતી.