Aapnu Gujarat
Uncategorized

નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે ખેરાલુ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

દેશની આઝાદીના લડવૈયા અને આઝાદ હિંદ ફૌજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે ખેરાલુ શહેર ભાજપ સંગઠન યુવા મોરચા દ્વારા  ” તુમ મુજે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દુંગા” . સૂત્ર ને સાર્થક કરવા આજ રોજ દોતોર હોસ્પિટલ ખેરાલુ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

.જેમા મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું.  આ પ્રસંગે બ્લડ ડોનેશન કરનાર રકતદાતાઓને ભાજપ યુવા મોરચા દ્વારા ચા કોફી બિસ્કીટના નાસ્તા તેમજ પ્રોત્સાહન રૂપે વોટર કુલર બેગ રક્તદાતાઓને આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ શુભમભાઈ પટેલ,ઉપપ્રમુખ પ્રશાંત પંડ્યા,મહામંત્રી ધર્મેશભાઈ દેસાઈ, મંત્રી સાવંત પરમાર, જયદીપ પ્રજાપતિ,હાર્દિક બારોટ , યુવરાજ મોદી, કોષાધ્યક્ષ ધવલભાઈ નાઈ, નીલેશ સથવારા, પાર્થ બ્રહ્મભટ્ટ, સંજયજી ઠાકોર તેમજ કાયૅકરોએ હાજર રહી રક્તદાન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ રક્તદાન કેમ્પમાં નૂતન જનરલ હોસ્પિટલ વિસનગર સંચાલિત બ્લડ બેન્ક તથા માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દોતોર હોસ્પિટલના વહીવટી તેમજ મેડિકલ સ્ટાફ દ્વારા સરાહનીય સેવા આપવામાં આવી હતી.

Related posts

जूनागढ़ में हार्दिक पटेल को नो एंट्री

editor

સોમનાથ મંદિરનાં સ્થંભોને સુવર્ણથી જડવા દિલ્હીથી ૩૦ કિલો સોનું સોમનાથ પહોંચ્યું

aapnugujarat

ગીર-સોમનાથ જિલ્લામાં ટીબીનાં નિદાન માટે સીબીનાટ લેબોરેટરીનો પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1