ડબ્લ્યુએચઓના કોવિડ ટેકનિકલ ચીફ મારિયા વાન કેરખોવ માને છે કે ૨૦૨૨ સુધીમાં વૈશ્વિક સ્તરે રોગચાળો નાબૂદ થઈ જશે. ફેલાતી રોગચાળાએ સમગ્ર વિશ્વને ઘેરી લીધું છે, અને દરેક જણ તેના પરિણામો ભોગવી રહ્યા છે. નવેમ્બરમાં, જ્યારે લોકો ડેલ્ટા સંસ્કરણ સામે લડી રહ્યા હતા, ત્યારે એક નવું કોવિડ પ્રકાર, ઓમિક્રોન ઉભરી આવ્યું છે.
દુનિયાભરમાં ૫૪ લાખ મોતનું કારણ બનેલી કોરોના મહામારી ૨૦૨૨ના અંત સુધી સામાન્ય ફ્લૂમાં પરિવર્તિત થઈ શકે છે. તે ખતમ તો નહીં થાય, પરંતુ તેનાથી થતાં મૃત્યુ લગભગ શૂન્ય કરી શકાય એમ છે. ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાતો હોવાના અહેવાલો વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે સંકળાયેલા ૧૦૦થી વધુ વિજ્ઞાનીઓએ કોરોના વાઈરસના ભવિષ્યને લઈને એક રિપોર્ટ તૈયાર કર્યો છે.
વિજ્ઞાનીઓનું માનવું છે કે, ૨૦૨૨ના અંત સુધી કોરોના વાઈરસ પણ એ સ્થિતિમાં પહોંચી જશે, જેમ ૧૯૧૮માં સ્પેનિશ ફ્લૂ અને ૨૦૦૯માં સ્વાઈન ફ્લૂ હતો. એટલે કે તે ખતમ તો નહીં થાય, પરંતુ દવાઓની મદદથી આવી બીમારીથી થતાં મોત રોકી શકાયા હતા.
ઉલ્લેખનીય છે કોરોના ના નવા વેરિએન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાઇ રહ્યો છે તે એક ચિંતાજનક બાબત છે, ઓમિક્રોનના કેસ હાલ બ્રિટનમાં વિસ્ફોટ સર્જાયો છે. ત્યાં ઓમિક્રોનના નવા કેસ ૭૮ હજારથી વધુ નોંદાયા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ