ઉમેશ ગોરાહવા, બોટાદ
બોટાદ જિલ્લાના રણીયાળા ગામ ખાતે તાજેતરમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને મિશન ઈ જન સેવા અંતર્ગત ખાસ રાત્રી સભા યોજાઈ હતી.
આ રાત્રિ સભામાં જિલ્લા કલેકટર એ ગામ લોકો સાથે સંવાદ કરી સરકાર ની વિવિધ સોશિયલ સેક્યુરીટી સ્કીમ, ઈ શ્રમ, વયોશ્રી સહિતની યોજનાઓ વિશે માહિતી આપી હતી અને આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો તથા લોકો સાથે સીધો સંવાદ કરી ગ્રામજનોની રજુઆત સાંભળી તેનો હકારાત્મક નિકાલ કરવા અંગે બાંહેધરી આપી હતી. વધુમાં ગ્રામજનોના પાણી, રસ્તા, સિંચાઈ જેવા પ્રશ્નોના નિકાલ માટે અમલીકરણ અધિકારીશ્રીને સૂચનાઓ પણ આપી હતી.
આ રાત્રી સભામાં ગઢડા પ્રાંત અધિકારી , મામલતદાર તાલુકા વિકાસ અધિકારી, સરપંચ તથા ઉપ સરપંચ સહિતના ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.