ભારતના પરમાણુ કાર્યક્રમોના જનક મહાન વૈજ્ઞાનિક હોમી જહાંગીર ભાભાનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયુ હતુ. તેમના મૃત્યુ માટે બીઆરન્યુઝ નામની વેબસાઈટે પાકિસ્તાનની સેન્ટર ઈન્ટેલિજન્સ એજન્સીને જવાબદાર કહી છે. આ ન્યુઝ વેબસાઈટે પોતાના રીપોર્ટમાં જણાવ્યું છે કે આ પ્લેન ક્રેશમાં અમેરિકાના ઈન્ટેલિજન્સ એજન્સીનો હાથ હોઈ શકે. હોમી ભાભાનું પ્લેન એર ઈન્ડિયા બોઈંગ ૭૦૭, ૧૯૬૬માં ફ્રાન્સમાં આલ્પ્સના મોન્ટ બ્લાંની પાસે ક્રેશ થઈ ગયુ હતુ. આ પ્લેન ક્રેશમાં ભારતના આ મહાન વૈજ્ઞાનિકની સાથે અન્ય ૧૭૭ લોકોના મૃત્યુ થયા હતા. તાજેતરમાં મોન્ટ બ્લામાં પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોના શબના અવશેષો મળ્યા હતા. આ શબ કેટલાક વર્ષો પહેલા એર ઈન્ડિયામાં થયેલા બે દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. ઈ.સ. ૧૯૫૦ અને ૧૯૬૬માં થયેલી બે જુદી-જુદી દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા હતા. બીઆરન્યુઝ નામની વેબસાઈટના રિપોર્ટમાં હોમી ભાભા સાથે સંકળાયેલી કેટલાક જાણકારી સામે આવી રહી છે. આ વેબસાઈટે ૧૧ જુલાઈ ૨૦૦૮એ એક પત્રકાર ગ્રેગરી ડગ્લાસ અને સી.આઈ.એના અધિકારી રોબર્ટ ટી ક્રાઓલીના વચ્ચે થયેલી વાતને ફરીથી રજૂ કરી છે.