Aapnu Gujarat
શિક્ષણ

શાળાઓ શરૂ કરવા માટે વેક્સિનેશન પૂર્ણ થવાની રાહ જાેવાની જરૂર નથી : વર્લ્ડ બેંક

શાળાઓ શરૃ કરતા પહેલા શાળાઓ બંધ રાખવાથી શું નુકસાન થઇ રહ્યું છે અને શાળાઓ ચાલુ રાખવાથી શું નુકસાન થઇ રહ્યું છે તે બંનેની સમીક્ષા થવી જાેઇએ. વર્લ્‌ડ બેંકના આંકડા મુજબ વિશ્વની ૮૦ ટકા શાળાઓ નિયમિત રીતે શરૃ થઇ ગઇ છે.ર ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કોરોના મહામારી શરૃ થઇ તેના કારણે ૧૮૮ દેશોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી.જેના કારણે ૧.૬ અબજ બાળકોનું શાળાએ જવાનું બંધ થઇ ગયું હતું.પુરાવાઓ સંકેત આપી રહ્યાં છે કે નાના બાળકોને કોરોના થવાની શક્યતા ઓછી હોવાથી શાળાઓ શરૃ કરતા પહેલા દેશોએ સર્વવ્યાપી કોવિડ-૧૯ વેક્સીનેશનની રાહ જાેવાની જરૃર નથી તેમ વર્લ્‌ડ બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે. વર્લ્‌ડ બેંકની એજયુકેશન ટીમે જણાવ્યું છે કે જે દેશોમાં શાળાઓ શરૃ કરી દેવામાં આવી છે ત્યાં નાના બાળકોને થયો હોવાના ખૂબ જ ઓછા કેસ જાેવા મળ્યા છે. વર્લ્‌ડ બેંકની એજ્યુકેશન ટીમે વધુમાં જણાવ્યું છે કે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ ભલામણ કરી છે કે કોરોનાની સ્થિતિ ખૂબ જ વકરી જાય તો જ શાળાઓ બંધ રાખવી જાેઇએ. વર્લ્‌ડ બેંકે જણાવ્યું છે કે અત્યાર સુધીના પુરાવા દર્શાવે છે કે નાના બાળકો કોરોના થવાની શક્યતા ઓછી છે, કોરોનાને કારણે તેઓ ગંભીર રીતે બિમાર પડે તેનીશક્યતા પણ ખૂબ જ ઓછી છે, કોરોનાને કારણે બાળકનું મોત થાય તેની શક્યતા પણ ખૂબ જ ઓછી છે. પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શાળાઓેમાં કોરોના ટ્રાન્સમિશનનું પ્રમાણ ખૂબ ઓછું છે. બાળકોને કોરોના થયું હોય તો તેના કારણે શિક્ષકો અને સ્ટાફને કોરોના થવાની શકયતા ખૂબ જ ઓછી છે. વર્લ્‌ડ બેંકે વધુમાં જણાવ્યું છે કે કોરોના થવાના ખતરાને કારણે શાળાઓ બંધ રાખવામાં આવે છે પણ શાળાઓ બંધ રાખવાથી બાળકોને મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે. શાળાઓ બંધ રાખવાથી બાળકોની શીખવાની વૃત્તિ, માનસિક આરોગ્ય અને સમગ્ર વિકાસ પર ગંભીર અસરો પડી રહી છે.

Related posts

ગુજરાત શિક્ષણ પાછળ નાણાં ખર્ચવામાં છેક ૧૬માં ક્રમે

aapnugujarat

ઉચ્ચ શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓ માટે મોટી પહેલ : ૮૦ હજાર માસિક સ્કોલરશીપ સ્કીમને આખરે મળેલ બહાલી

aapnugujarat

बीसीए में ११५० और बीबीए में ८८४ सीट अभी रहीं रिक्त

aapnugujarat

Leave a Comment

UA-96247877-1