Aapnu Gujarat
બ્લોગ

વાત વાતમાં રડવા લાગતા લોકોનું વજન જલ્દી ઉતરશે

જ્યારે આપણે આપણી આંખોમાંથી આંસુ વહાવીએ છીએ ત્યારે આપણું શરીર ચરબીનો સંગ્રહ કરવામાં અસમર્થ હોય છે. કારણ કે આવી સ્થિતિમાં, આપણા શરીરમાં જે પણ તણાવ પેદા કરતા હોર્મોન્સ હોય છે, તે છૂટી જાય છે. જાે કે, જાે તમે બિનજરૂરી રીતે રડો છો, તો તે તમારા શરીરનું વજન ઘટાડતું નથી. વજન ઘટાડવા માટે રડતી વખતે સાચી લાગણીઓ હોવી જાેઈએ. જાે તમારી લાગણીઓ સાચી નથી, તો પછી તમે બિલકુલ વજન ગુમાવશો નહીંઆપણે ઘણી વખત એવી વ્યક્તિને ધ્યાનમાં લઈએ છીએ, જે વાત વાતમાં રડવા લાગે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આવી રીતે રડવું ખોટું નથી. આવું કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. એક સંશોધન મુજબ, રડવાથી આપણા શરીરનું વજન ઘટે છે. સંશોધનમાં આ વાત સામે આવી છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે રડવું સ્થૂળતા ઘટાડે છે. સંશોધકે જણાવ્યું કે રડવાથી આપણું ડિપ્રેશન પણ ઓછું થાય છે. સંશોધકો કહે છે કે લાગણીશીલ બનવાથી આપણું કોર્ટિસોલ સ્તર વધે છે. જ્યારે પણ આપણે ભાવનાત્મક રીતે આંસુ વહાવીએ છીએ, ત્યારે આપણા શરીરનું કોર્ટિસોલ લેવલ તેની સાથે વધે છે. આ આપણા શરીરનું વજન ઘટાડે છે. સંશોધન કહે છે કે રડવાથી તમારા શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે. બાયોકેમિસ્ટ વિલિયમ ફ્રાયે આ સિદ્ધાંતને ટેકો આપ્યો છે. આ સંશોધનમાં સૌથી મહત્વનો દાવો કરવામાં આવ્યો છે કે સાંજે ૭ થી ૧૦ દરમિયાન રડવું શરીરના વજનમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. વજન ઘટાડવા માટે રડવાનો આ શ્રેષ્ઠ સમય છે.

Related posts

આજનું જ્ઞાન

aapnugujarat

બકાના ગતકડા

editor

સવર્ણોેન અનામત સરકાર માટે પડકારજનક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1