Aapnu Gujarat
બિઝનેસ

વોડોફોન-આઈડિયા ડૂબશે તો વધારે નુકસાન સરકારને થશે

આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલાએ વોડાફોન-આઈડિયાના નોન-એક્ઝિક્યુટીવ ચેરમેનના પદથી રાજીનામું આપ્યું છે. વોડાફોન-આઈડિયા કંપની પાસે અત્યારે એટલા પૈસા નથી કે તે લોનના ઈન્સ્ટોલમેન્ટ ચુકવવાની સાથે સાથે રોકાણ પણ કરી શકે. ભારતની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા લિમિટેડના ડૂબવાનો ખતરો વધી ગયો છે. જાે આ ભાગીદારી ડૂબશે તો સરકારને સૌથી વધારે નુકસાન થશે.ઉલ્લેખનીય છે કે અત્યારે વોડાફોન-આઈડિયાનું કેન્દ્ર સરકાર પર ૧.૬ લાખ કરોડનું ઉધાર છે. સ્પેક્ટ્રમ પેમેન્ટ અને એજીઆર ડ્યુઝમાં આ રકમ બાકી છે. મોટા પ્રમાણમાં આર્થિક દેવાનો સામનો કરી રહેલી વોડાફોન-આઈડિયા ભાગીદારી જાે ડૂબી જશે તો સરકારે ઘણું મોટું નુકસાન વેઠવું પડી શકે છે. પાછલા ૧૦ મહિનાથી વોડાફોન-આઈડિયા ૨૫ હજાર કરોડ રુપિયા એકઠા કરવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ હજી તેમના હાથ ખાલી છે. જાેઈન્ટ વેન્ચરમાં ૪૪.૩૯ ટકા ભાગીદારી રાખનાર વોડાફોન ગ્રુપ અને ૨૭.૬૬ ટકા ભાગીદારી વાળા આદિત્ય બિરલા ગ્રુપે વધારે પૈસા રોકવાથી ઈનકાર કરી દીધો છે. આદિત્ય બિરલાએ કહ્યું છે કે, તે વોડાફોન આઈડિયામાં પોતાનો ભાગ કોઈ સાર્વજનિક ક્ષેત્રની કંપની અથવા નાણાંકીય સંસ્થાને આપવા માટે તૈયાર છે.ભારતની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયા પર બેંકોનું લગભગ ૪ ડોલર અબજની લોન છે. આ સાથે જ સરકારને પણ મોટી રકમ ચુકવવાની છે. વોડાફોન-આઈડિયાનું દેવાળિયું ફૂંકાશે તો સરકારની સાથે બેંકોએ પણ મોટું નુકસાન ઉઠાવવું પડશે. બેંકોેની ૨૩,૦૦૦ કરોડ રુપિયાની લોન ડૂબી શકે છે. આ લોન લગભગ ૭૦ ટકા દેશની સાર્વજનિક ક્ષેત્રની બેંકો તરફથી આપવામાં આવી છે. આ સાથે જ બેંકોએ વોડાફોન-આઈડિયા માટે હજારો કરોડ રુપિયાની ગેરન્ટી આપી હતી જે ડિફોલ્ટ થવાનું જાેખમ પણ વધી ગયું છે.એક બ્રોકરેજ ફર્મના નિષ્ણાંતે કહ્યું કે, જાે વોડાફોન-આઈડિયા બેંકો અને સરકારને મોટું નુકસાન થશે. અનિલ અંબાણીની રિલાયન્સ કમ્યુનિકેશન્સ અને એરસેલ કોલાપ્સ થઈ ત્યારપછી જે સ્થિતિ સર્જાઈ હતી તેને ધ્યાનમાં રાખીને વોડાફોન-આઈડિયા નિષ્ફળ જશે તો તેની રિકવરી પણ થવી મુશ્કેલ લાગી રહી છે.
ઉલ્લેખનીય છે કે વોડાફોન-આઈડિયા પર લગભગ ૧.૮ લાખ કરોડ રુપિયાનું દેવું છે. કંપની નાણાંકીય રીતે ઘણું નુકસાન ભોગવી રહી છે. માર્ચમાં વોડાફોન-આઈડિયાએ ૭૦૦૦ કરોડ રુપિયાનું નુકસાન ઉઠાવવુ પડ્યું છે.વોડાફોન-આઈડિયાને લોન આપનાર બેન્કો અને નાણાંકીય સંસ્થાઓ પણ પરેશાન છે. તે મેનેજમેન્ટ અને સરકાર સાથે નુકસાનથી બચવા માટે વાતચીત કરી રહી છે, પરંતુ આ પહેલા કેન્દ્રએ સૌપ્રથમ નક્કી કરવાનું રહેશે કે તે ટેલિકોમ સેક્ટરમાં ત્રણ કંપનીઓ જાેવા માંગે છે કે પછી રિલાયન્સ જિયો અને ભારતીય એરટેલ તરીકે બે મજબૂત કંપનીઓથી સંતુષ્ટ રહેવા માંગે છે.

Related posts

રેલવેની કેટરિંગ સેવા પર પાંચ ટકા જીએસટી રહેશે

aapnugujarat

FPI દ્વારા ૫ સેશનમાં ૫૬૪૯ કરોડ પાછા ખેંચાયા

aapnugujarat

ભારત દુનિયાનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1