Aapnu Gujarat
રાષ્ટ્રીય

પ્લાસ્ટિકના ધ્વજનો ઉપયોગ લોકો ન કરે એ સુનિશ્ચિત કરવા નિર્દેશ

સ્વતંત્રતા દિવસ પહેલા કેન્દ્ર સરકારે રાજ્યોને રાષ્ટ્રધ્વજને લઈને મહત્વના નિર્દેશ આપ્યા છે. સરકારે રાજ્યોને કહ્યુ છે કે તેઓ એ સુનિશ્ચિત કરે કે લોકો પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ ના કરે.
આ સંબંધિત કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રધ્વજ દેશના લોકોની આશાઓ, આકાંક્ષાઓનુ પ્રતિનિધિત્વ કરે છે. એ કારણ છે કે આનુ સન્માન થવુ જાેઈએ.
સ્વતંત્રતા દિવસ પહેલા કેન્દ્રએ પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે. કેન્દ્રએ રાજ્યોને એ સુનિશ્ચિત કરવા માટે કહ્યુ છે કે લોકો પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ ન કરે, આની પાછળ સરકારે તર્ક કર્યો છે કે પ્લાસ્ટિકની સામગ્રીથી બનેલા તિરંગાનો યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરવો એક વ્યાવહારિક સમસ્યા છે.
ગૃહ મંત્રાલયના પત્રમાં રાષ્ટ્રીય ગૌરવ અધિનિયમમાં અપમાન નિવારણ, ૧૯૭૧ અને ભારતીય ધ્વજ સંહિતા, ૨૦૦૨ની પ્રતિ પણ સંલગ્ન કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યુ છે કે રાષ્ટ્રીય ધ્વજ દેશના લોકોની આશાઓ, આકાંક્ષાઓનુ પ્રતિનિધિત્વ કરે છે તેથી હંમેશા આનુ સન્માન થવુ જાેઈએ.
હોમ મિનિસ્ટ્રીએ કહ્યુ, રાષ્ટ્રીય ધ્વજ માટે સૌના મનમાં સ્નેહ, સન્માન અને વફાદારી છે. તેમ છતાં રાષ્ટ્રીય ધ્વજના પ્રદર્શન પર લાગુ થનારી કાનૂનો અને પરંપરાઓના સંબંધમાં લોકોની સાથે-સાથે સરકારના સંગઠનો, એજન્સીઓની વચ્ચે જાગૃતતાની એક સ્પષ્ટ ઘટાડો જાેવા મળે છે.
ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યુ છે કે કેટલાક અવસરે જેવા રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમત આયોજન પર કાગળના બનેલા રાષ્ટ્રીય ધ્વજની જગ્યા પ્લાસ્ટિકથી બનેલા રાષ્ટ્રીય ધ્વજનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, જે યોગ્ય નથી.
મંત્રાલય તરફથી એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યુ છે કે એવા આયોજન પર ભારતીય ધ્વજ સંહિતા ૨૦૦૨ના નિયમોના હિસાબથી માત્ર કાગળના બનેલા રાષ્ટ્રીય ધ્વજનો ઉપયોગ થવો જાેઈએ.

Related posts

भारत में कोरोना के नए स्ट्रेन की एंट्री

editor

गरीबी रेखा से नीचे ६५ प्रतिशत हैं किसान, क्या आप भूल गए : मुलायम ने सरकार से पूछा

aapnugujarat

PMC बैंक घोटाला : संजय राउत के करीबी की 72 करोड़ रुपए की संपत्ति अटैच

editor

Leave a Comment

UA-96247877-1