સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા
ધ્રાગધ્રા-માલવણ હાઇવે પર કેટલાય પરીવાર પોતાના સભ્યોને ગુમાવી બેઠા છે ત્યારે કાળ તરીકે ઓળખાતા હાઇવે પર દર નવા દિવસે અકસ્માતની ઘટના પ્રકાસમા આવે છે ત્યારે હાઇવે પર કેટલાક અકસ્માત સંભવીત હોવા છતા પણ L&T દ્વારા કોઇ ખાસ પગલે લેવામા આવતા નથી જેને લઇને ફરી કલ્પના ચોકડી નજીક એક અકસ્માત સજાઁયો છે.
જે અકસ્માતની જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર આવેલી કલ્પના ચોકડી પાસેથી પસાર તથા ટ્રક સાથે બાઇક ઘડાકાભેર અથડાયું હતુ જેને લઇને ભાઇઓમાં સવા એક મહિલા સહિત ત્રણ લોકોને ગંભીર ઇજાઁ પામી હતી. ટ્રક સાથે અકસ્માત થતા જ બાઇકમા સવાર ત્રણેય હવામા ફંગોળાઇ રોડ પર પટકાતા હતા જ્યારે ટ્રક ચાલી ટ્રક મુકી નાશી છુટ્યો હતો આ તરફ સ્થાનિક રાહદારીઓ દ્વારા બાઇક સવાર એક મહિલા સહિત ત્રણેય ઇજાઁગ્રસ્તોને 108ની મદદથી સરકારી હોસ્પીટલ ખસેડાયા હતા પરંતુ ઇજાઁ ગંભીર હોવાથી તેઓને તાત્કાલિક સુરેન્દ્રનગર ખાતે રીફર કરાયા હતા. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફીક જામ થયો હતો જે બાદ સ્થાનિક તાલુકા પોલીસે વ્યવસ્થા સંભાળી ટ્રાફીક દુર કરી ફરી રાબેતા મુજબ હાઇવે શરુ કરી અકસ્માત થયેલ ટ્રકને કબ્જે લઇ કાયદેસર કાયઁવાહી હાથ ધરી હતી.