મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વાણીવિહિર ગામનાં પ્રેમી-પંખીડાં સાતેક દિવસ પહેલાં ઘરેથી ભાગી ગયાં હતાં. તાપી જિલ્લાના કૂકરમુંડા ગામની સીમમાં તાપી નદીના કાવિઠા પુલની ઉપર બાઈક મૂકી બન્ને પ્રેમી-પંખીડાં નદીમાં કૂદી પડ્યાં હતાં. ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરાતાં આજે પ્રેમિકાનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે પ્રેમીની શોધખોળ ચાલી રહી છે. તાપીના કૂકરમુંડા તાલુકાના જૂના કૂકરમુંડા ખાતે આવેલા તેમજ નિઝરના વેલ્દા ટાંકીથી કૂકરમુંડા તરફ જતા રસ્તા પરના તાપી નદી પુલ ઉપરથી ગત રોજ સાંજે પુલ પર બાઈક મૂકી એક યુવક અને યુવતી નદીમાં કૂદી પડ્યાં હતાં. એ બાબતે સ્થાનિકોએ તપાસ કરતાં મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકૂવા તાલુકામાં આવેલા વાણીવિહિર ગામના ગુરુદત્ત ભાઈ રાજેસિંગભાઈ પાડવી (ઉં.વ. ૨૬) અને એ ગામની તેની પ્રેમિકા તનશ્રીબેન ગોસાવી (ઉં.વ. ૧૯) હોવાનું સામે આવ્યું હતું.
બંને પ્રેમી-પંખીડાં સાતેક દિવસ પહેલાં ઘરેથી ભાગી ગયાં હતાં. તે બંનેને ભાગી જવા બાબતે પોતાના બંને પરિવાર અને સમાજમાં વાત થાય તથા ઇજ્જત જવા અંગે પસ્તાવો થતાં પોતેપોતાની જાતે બંને પ્રેમી-પંખીડાંએ તાપી નદીના પાણીમાં પુલ ઉપરથી છલાંગ લગાવી હતી. આ અંગે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વાણીવિહિર ગામના જિતેન્દ્રભાઇ દોલત ભાઈ પાડવીએ નિઝર પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે.
આગળની પોસ્ટ