બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા સંજય દત્તની લાઇફ પર ફિલ્મ હવે તૈયાર થવા આવી છે. ફિલ્મમાં સંજયદત્તની ભૂમિકા અદા કરનાર રણબીર કપુરે કહ્યુ છે કે આ ખુબ પડકારરૂપ ફિલ્મ છે. રણબીર કહ્યુ છે કે મેક અપ પાછળ ખુબ સમય લાગ્યો છે. સંજય દત્તની ભૂમિકા સ્ક્રીન પર કરવાને લઇને રણબીરે કેટલીક વાત કરી છે. ફિલ્મમાં સંજય દત્તની કેરિયરને રજૂ કરવામાં આવનાર છે. તમામ ચાહકો જાણે છે કે સંજય દત્તની કેરિયરમાં અનેક ઉતારચઢાવ આવ્યા હતા. ખરાબ સમય તેના માટે ખુબ દુખદ રહ્યો હતો. જેના કારણે તેને લાંબી જેલની સજા ગાળવી પડી છે. રાજકુમાર હિરાની દ્વારા સંજય દત્તની લાઇફ પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ફિલ્મમાં સંજય દત્તની માતાની ભૂમિકામાં મનીષા કોઇરાલા નજરે પડનાર છે. જ્યારે ફિલ્મમાં અભિનેત્રી તરીકે દિયા મિર્જા, સોનમ કપુર કામ કરી રહી છે. રાજકુમાર હિરાની ફિલ્મને શાનદાર બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. રાજકુમાર હિરાનીને બોલિવુડમાં સૌથી મોટા નિર્દેશકો પૈકી એક તરીકે ગણવામાં આવે છે. પીકે અને થ્રી ઇડિયટ્સ જેવી શાનદાર ફિલ્મ બનાવવા માટે જાણીતા રહેલા હિરાનીએ વિતેલા વર્ષોમાં સંજય દત્તને લઇને મુન્નાભાઇ એમબીબીએસ અને લગે રહો મુન્નાબાઇ જેવી યાદગાર ફિલ્મ બનાવી હતી. આ તમામ ફિલ્મો રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. હવે તેઓ સંજય દત્તની લાઇફને રજૂ કરતી પડકારરૂપ ફિલ્મ બનાવી રહ્યા છે. રણબીર કપુરને સંજય દત્તના લુકમાં રજૂ કરવામાં તેઓ સફળ રહ્યા છે. પોસ્ટરને નિહાળ્યા બાદ તમામ લોકો રણબીરના લુકને જોઇને આશ્ચર્યચકિત છે. ફિલ્મ સુપરહિટ સાબિત થશે તેમ જાણકાર લોકો કહે છે.