રાજ્ય સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક યોજના અમલી છે. તેના હેઠળ સન ૨૦૧૭-૧૮ના વર્ષમાં અનુસૂચિત જાતિઓના દસમા ધોરણની બોર્ડ પરીક્ષા પ્રથમ પ્રયત્ને ૬૯.૫ ટકા કે તેથી વધુ ટકાવારી સાથે પાસ કરનારા અને હાલમાં વિજ્ઞાન પ્રવાહના ૧૧મા ધોરણમાં ભણનારા વિદ્યાર્થી/ વિદ્યાર્થિનીઓને પિતા/વાલીની વાર્ષિક આવક રૂા. ૧,૫૦,૦૦૦/- થી ઓછી હોય એ શરતે સહાય મળવાપાત્ર છે. સંબંધિતોને શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય મેળવવા માટે નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, આદિવાસી ગેસ્ટ હાઉસ સામે, રેફરલ હોસ્પિટલ સામે, છોટાઉદેપુર પાસેથી તા.૩૧/૦૮/૨૦૧૭ સુધીમાં સહાયની અરજીઓ મેળવી લેવા વડોદરા કચેરી દ્વારા જણાવાયુ છે.