ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી એ પોતાનો પદભાર સંભાળી ને કાર્યરત થયા છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૦૧૨ ની બેચના ભારતીય પ્રશાસનિય સેવાના અધિકારીશ્રી અમૃતેષ ઔરંગાબાદકર (આઈ.એ.એસ.) એ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળ્યો છે.
મહારાષ્ટ્રના પુના જિલ્લાના વતની એવા શ્રી અમૃતેષ ઔરંગાબાદકર કેન્દ્રીય જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી આઈ.એ.એસ. બન્યા. ૨૦૧૨ ની બેચના અધિકારીશ્રીએ સૌ પ્રથમ આસી. કલેકટર તરિકે મહુવા (જિ. ભાવનગર) ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી તરિકે છોટા ઉદેપુર અને પ્રાદેશિક કમિશ્નર – વડોદરા તરિકેની સેવાઓ બાદ તેઓશ્રી અરવલ્લી જિલ્લા કલેકટર તરિકે કાર્યરત હતા. તેમને છોટા ઉદેપુર ખાતે મનરેગાના અમલીકરણ માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં તેમણે તેમના કાર્યકાળ દરમિયાન ૧૦૦ ટકા ગામોમાં નલ સે જલ યોજના મંજુર કરી પ્રસંશનિય કામગીરી કરી છે.