Aapnu Gujarat
Uncategorized

કોરોનાની બીજી લહેર શાંત થતા અમદાવાદીઓ બન્યા બેખોફ

કોરોનાની બીજી લહેર શાંત થતા જ અમદાવાદીઓ નિશ્ચંત બન્યા હોય તેવા દ્રશ્યો હાલ ઠેરઠેર દેખાઈ રહ્યાં છે. ખાણીપીણીના સ્ટોલ પર ફરીથી ભીડ જાેવા મળી રહી છે. તો સાથે જ અમદાવાદના માર્કેટમાં પણ ભીડ જાેવા મળી રહી છે. રવિવારની રજા હોવાથી અનેક લોકો બિન્દાસ્તપણે બહાર નીકળી ગયા છે. જે જાેખમી છે. કોરોના હજી ગયો છે, ખતરો હજી ટળ્યો નથી, ત્યારે આવી રીતે બહાર નીકળવું કેટલુ યોગ્ય કહેવાય.ગુજરાત યુનિવર્સિટી અને એલડી એન્જિનીયરીંગ કોલેજ વચ્ચે આવેલી ખાણી-પીણીની લારીઓ પર નાસ્તાની મજા માણવા શહેરીજનો ઉમટ્યા છે. અહીં સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ સ્પષ્ટ નજરે પડ્યો હતો. દેશભરમાં ત્રીજી લહેરનો ડર સતાવી રહ્યો છે, એવામાં આ દ્રશ્યો તંત્ર માટે ચિંતાજનક છે. રવિવારે રજાના દિવસે ઘરે રહીને સલામત રહેવાને બદલે શહેરીજનો બિન્દાસ્ત મોજ માણતા નજરે પડ્યા છે. આ પ્રકારના વર્તણુકથી તજજ્ઞો ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. અમદાવાદીઓ સરકારે આપેલી છૂટનો બિન્દાસ્તપણે ઉપયોગ કરી રહ્યા છે. કોરોનાના કેસો ઓછા થતા સરકારે કેટલીક રાહત આપતા અમદાવાદીઓ નિશ્ચિત બન્યા છે. અમદાવાદના ભદ્ર બજારમાં મોટી સંખ્યામાં શહેરીજનો ખરીદી માટે ઉમટ્યા છે. કપડાં તેમજ ઘરવખરીની ચીજ વસ્તુઓની ખરીદી કરવા ભદ્ર બજારમાં શહેરીજનો ઉમટ્યા છે. જેમાં અનેક લોકો માસ્ક વિના ખરીદી કરતા નજરે પડ્યા છે. મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ભદ્ર બજારમાં આવતા સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરા ઊડતા જાેવા મળ્યા.વેપાર કરવો વેપારીઓની મજબૂરી છે. પરંતુ ખરીદી માટે માસ્ક ના પહેરવું અને સોશિયલ ડિસ્ટનસિંગ ના જળવાય એ રીતે ખરીદી કરવી કેટલું યોગ્ય? બીજી લહેર શાંત થયા બાદ તજજ્ઞો ત્રીજી લહેરને લઈ ચિંતિત છે, વારંવાર સાવચેત કરી રહ્યા છે. ત્યારે આ દ્રશ્યો જાેતા કેવી રીતે રોકી શકીશું કોરોનાની ત્રીજી લહેરને? શહેરીજનો કેમ નથી જળવતા સ્વયંશિસ્ત ? જીવન કરતા પણ વધુ જરૂરી બની ગઈ છે કપડાં તેમજ અન્ય શણગારની ચીજાેની ખરીદી ?

Related posts

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ૧૦મીએ અમદાવાદ આવશે

editor

અહમદપુર માંડવી ચેકપોસ્ટ ઉપર એસ.ટી ડ્રાઇવર ની 38 દારૂની બોટલ સાથે કરી ધરપકડ

aapnugujarat

સુરતમાં પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ

editor

Leave a Comment

UA-96247877-1