સુરેશ ત્રિવેદી , ભાવનગર
ભાવનગરથી અમારા સંવાદદાતા સુરેશ ત્રિવેદી જણાવે છે કે,કોરોના સ્થિતિ પછી મસલ્સ અને હાડકાની સ્થગિતતા થી પીડાતા દર્દીઓ માટે શિશુવિહાર સંસ્થામાં ચાલતા શેઠ પરિવાર ફિઝીયોથેરાપી સેન્ટરમાં ખાસ આરોગ્ય શિબિર યોજાઈ. ભાવનગરની સહજાનંદ ઇન્સ્ટિટયૂટ ઓફ ફિઝિયોથેરાપી કોલેજ ના ડોક્ટર શ્રી કિંજલબહેન રાઠોડના માર્ગદર્શન હેઠળ ડોક્ટર ટીમે કોરોના પછીની શારીરિક ફરિયાદ અંગે દર્દીઓને સારવાર આપી હતી .શિબિરમાં 38 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો…
ભાવનગરના પૂર્વ સી .એમ. ઓ. ડોક્ટર શાહ ની પૂણ્ય સ્મૃતિમાં ડો. દેવીન્દ્રા બહેન દ્વારા પ્રેરિત કરવામાં આવેલ સારવાર કેમ્પ માં શ્રી સલમાબેન આલિયાની,વૈભવી બેન ગોહેલ,શ્રી અવનીબેન બોરીચા એ સેવા પૂરી પાડી હતી સમગ્ર કાર્યક્રમનું સંકલન શીશુવિહાર સંસ્થા ના ચીફ કોર્ડીનેટર શ્રી હીનાબેન ભટ્ટ એ કર્યું હતું…..