બોલીવૂડ ડાયરેક્ટર અનુભવ સિન્હાએ કાર્તિય આર્યનને લઈને એક ટ્વટી કર્યું છે. આ ટ્વીટમાં અનુભવ સિન્હાએ કાર્તિ સાથે સંકળાયેલા સમાચારો પર પોતાની પ્રતિક્રિયા આપી છે, જેમાં જણાવ્યું, કરણ જોહરની ફિલ્મ ‘દોસ્તાના-૨’, શાહરૂખ ખાનની ‘ફ્રેડી’ અને આનંદ એલ રાયની અપકમિંગ ફિલ્મમાંથી તેને હાંકી કઢાયો છે.
અનુભવ સિન્હાએ કાર્તિક આર્યનના સમર્થનમાં કરેલા ટ્વીટમાં જણાવ્યું છે કે કાર્તિકને એક પછી એક ફિલ્મોમાંથી બહાર કરવાની અફવાહ એક કેમ્પેન જેવું લાગી રહ્યું છે. આ અંગે કાર્તિકના મૌનનું હું સમ્માન કરું છું.
ડાયરેક્ટરે ટ્વીટમાં લખ્યું, જ્યારે પ્રોડ્યુસર્સ કોઈ એક્ટરને પોતાની ફિલ્મમાંથી રિપ્લેસ કરે છે અથવા કોઈ એક્ટર ફિલ્મ છોડે છે તો તેઓ આ અંગે વાત નથી કરતા. હંમેશા માટે આવું જ થતું હોય છે. મને વિશ્વાસપૂર્વક લાગી રહ્યું છે કે કાર્તિ આર્યન વિરુદ્ધ કોઈ રમત ચાલી રહી છે જે અયોગ્ય છે.
અનુભવ સિન્હાનું આ ટ્વીટ વાયરલ થયું છે. કાર્તિકના ફેન્સે પણ તેના આ મૌન અંગે તેની પ્રશંસા કરી છે. ઉલ્લેખનીય છે કે કાર્તિક આર્યન અંગે ધર્મા પ્રોડક્શને એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે તે હવે દોસ્તાના-૨નું હિસ્સો નથી. ત્યારબાદ કાર્તિકની માગણીઓ અને અનપ્રોફેશનલ હોવાની વાતો ચર્ચાઈ રહી છે. ત્યારબાદ એવી અફવા પણ વહેતી થઈ કે રેડ ચિલીઝની ફિલ્મ ‘ફ્રેડી’માંથી પણ કાર્તિકને બહાર કરાયો છે. થોડા દિવસો અગાઉ જ વધુ એક વાત સામે આવી કે હવે આનંદ એલ રાયની અપકમિંગ ફિલ્મમાંથી પણ કાર્તિકને બહારનો દરવાજો બતાવાયો છે. આ તમામ નેગેટિવ બાબતોને લઈને કાર્તિક હાલ ચર્ચામાં રહ્યો છે.
આગળની પોસ્ટ