Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશવાસીઓને મળશે સ્વદેશી વેક્સિન

ભારતમાં વેક્સીનની વધતી જરૂરિયાત અને રસીકરણના ઉદ્દેશ્યને પૂરી કરવા માટે કેન્દ્ર સરકારે વધુ એક અગત્યનું પગલું ભર્યું છે. ભારત સરકારે હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઇની કોવિડ વેક્સીનના ૩૦ કરોડ ડોઝ બુક કરાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વેક્સીન હાલ ક્લીનિકલ ટ્રાયલ પર છે. સ્વાસ્થ્ય મંત્રાલય તેના માટે કંપનીને ૧૫૦૦ કરોડ રૂપિયા એડવાન્સ પેમેન્ટ તરીકે આપશે. ભારત બાયોટેકની કોવેક્સીન બાદ આ ભારતમાં બનેલી બીજી વેક્સીન રહેશે. મંત્રાલયનું કહેવું છે કે વેક્સીનનું નિર્માણ અને સ્ટોરેજ બાયોલોજિકલ-ઇના માધ્યમથી ઓગસ્ટથી ડિસેમ્બર ૨૦૨૧ સુધી કરી દેવામાં આવશે. માર્ચ-એપ્રિલ મહિનામાં જ્યારે ભારત કોવિડની બીજી લહેરના પ્રકોપ સામે સંઘર્ષ કરી રહ્યું હતું તે દરમિયાન રસીકરણની નીતિને લઈ કેન્દ્ર સરકારને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો, જેને ધ્યાને રાખી સરકારે આ પગલું ભરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા સરકારને આ જ કારણથી પોતાના વેક્સીન મૈત્રી કાર્યક્રમ હેઠળ વિદેશ મોકલવામાં આવી રહેલી વેક્સીનને રોકવી પડી હતી જેથી ભારતમાં વેક્સીનની અછતને દૂર કરી શકાય.
કેન્દ્ર સરકારે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, બાયોલોજિકલ-ઇની વેક્સીન હાલમાં ત્રીજા ચરણના ક્લીનિકલ ટ્રાયલમાંથી પસાર થઈ રહી છે. આ પહેલા પહેલા અને બીજા ચરણમાં વેક્સીનના સારા પરિણામ જોવા મળ્યા છે. વેક્સીન આગામી થોડાક મહિનાઓમાં ઉપલબ્ધ થઈ જશે.
કેન્દ્ર સરકારનું કહેવું છે કે વેક્સીનની આ નવી વ્યવસ્થા ડોમેસ્ટિક વેક્સીન નિર્માતાઓને પ્રોત્સાહન આપવા અને તેમને રિસર્ચ તથા ખર્ચમાં મદદ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે બાયોલોજિકલ-ઇની રસી માટે બાયોટેક્નોલોજી વિભાગને ૧૦૦ કરોડની આર્થિક મદદ આપવામાં આવી છે. આ વિભાગ કંપનીની સાથે મળી અલગ-અલગ રિસર્ચમાં સામેલ છે. ભારત સરકારનું કહેવું છે કે સરકારનો ઉદ્દેશ્ય કોવિડ-૧૯ વેક્સીનના ૫-૬ નિર્માતાઓને મદદ કરવાની છે.

Related posts

सिंगापुर : भगोड़े नीरव मोदी पर HC की कार्रवाई, 44 करोड़ की संपत्ति जब्त

aapnugujarat

मणिपुर एक्स्ट्रा जुडिशल किलिंगः सुप्रीम कोर्ट ने सीबीआई जांच के आदेश दिए गए

aapnugujarat

દિલ્હી દારૂ કૌભાંડમાં ઈડીના છ રાજ્યોમાં ૪૦ સ્થળે દરોડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1