દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાના ખાતામાં ફેરફાર કર્યા છે. એએપી સરકારની પ્રાથમિકતા ઉપર ધ્યાન વધારે મજબૂતી સાથે કેન્દ્રિત કરવાના હેતુસર આ ફેરફાર કરવામાં આવ્યા છે. સિસોદિયાને જળસંશાધન પ્રધાન રાજેન્દ્ર ગૌત્તમ પાસેથી પ્રવાસ ખાતુ આપવામાં આવ્યું છે પરંતુ રેવેન્યુ વિભાગની જવાબદારી પણ રાખવામાં આવી છે. પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોતને રેવેન્યુ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ગૌત્તમને કો-ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રારની જવાબદારી સોંપવામાં આવી છે. જો કે, નાયબ મુખ્યમંત્રીએ કેજરીવાલને વિનંતી કરી છે કે, તેમની પાસેથી કેટલાક ખાતાઓ લઇ લેવામાં આવે. તેમની પાસે અન્ય ઘણા ખાતાઓ રહેલા છે. ટ્યુરિઝમ ઉપર દિલ્હી સરકાર આગામી દિવસોમાં મુખ્ય ધ્યાન આપવા માંગે છે. એએપી સરકાર શિક્ષણ અને આરોગ્ય ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છુક છે. સરકાર ગ્રામીણ દિલ્હીને વિકાસના એજન્ડા ઉપર સૌથી ઉપર લાવવા માંગે છે.